ચા પીતા અચાનક હાર્ટ અટેક આવતાં ટ્રક ડ્રાઈવરનું મોત
ગુજરાતનાં મહેસાણામાં વધુ એક હાર્ટ અટેક આવવાથી વ્યક્તિનું મોત થવાની ઘટનાનું જાણવા મળયું છે. છેલ્લા ઘણાં દિવસોથી હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં મહેસાણામાં બહુચરાજી પાસે હાર્ટ એટેક આવવાના કારણે એક ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ થયું છે.
આ ઘટના એવી છે કે, ચા પિતા સમયે અચાનક્જ ટ્રક ડ્રાઇવર હેમંત નીચે ઢળી પડ્યો પડ્યો હતો. જ્યારબાદ તેની તબીબી તપાસ કરવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા થોડાંજ દિવસોમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કેસોમાં વધારો થયો છે. આ ડ્રાઇવર મુંબઈથી બહુચરાજી આવેલા હતા અને મોત થયું છે.
રાજ્યમાં ગઈકાલે પણ ત્રણ જેટલાં હાર્ટ એટેકની ઘટના સામે આવતાં લોકોમાં ભયનો માહોલનું વાતાવરણ ફેલયેલું છે. આ બનાવ પાટણ જિલ્લામાં બન્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં હારીજમાં એક વ્યક્તિનું હાર્ટ એટેક થી મોત થયું છે. તો બીજી તરફ ઘટનામાં રાજકોટમાં હાર્ટએટેકથી લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ સચિન મણિયારનું મોત થયું છે તો રાજકોટમાં લગ્નપ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. હાલમાં આ પ્રકારની ઘટના ઘણી વધી રહી છે.
ગત વર્ષની સરખામણીમાં રાજ્યમાં ચાલુ વર્ષે એપ્રિલમાં 108 ઇમરજન્સી કેસના આંકડાની માહિતીમાં ચોકાવનારો ખુલાસો થયો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કાર્ડિયાકના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલમાં 1458 કાર્ડિયાકના કેસ નોંધાયા જે ગત વર્ષે 1131 કેસ જ હતા. 2021ના એપ્રિલમાં તો કાર્ડિયાકના માત્ર 280 કેસ જ નોંધાયા હતા. એટલે રાજ્યમાં બે વર્ષમાં કાર્ડિયાકના કેસમાં 420 ટકાનો ચિંતાજનક વધારો થયો છે. જ્યારે ડબલ ઋતુના લીધે એપ્રિલમાં સખત તાવના 776 કેસ 108 માં નોંધાયા છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.