જિલ્લામાં બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે ફાળવાયેલી બે મોબાઈલ હેલ્થ કેર યુનિટને લીલી ઝંડી આપી રવાના કરાઈ
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.
રાજપીપલા : એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં વિદેશ મંત્રીશ્રી અને રાજયસભાના સભ્યશ્રી ડો. એસ. જયશંકરે રૂ. ૬૪.૦૦ લાખના ખર્ચે તેમના અનુંદાનમાંથી વર્ષ ૨૦૨૩-૨૪ બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) મંજુર થતા નાંદોદ તાલુકાનાં લાછરસ પ્રાથમિક આરોગ્ય અને સાગબારાના કોલવાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે બે મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) ખરીદવામાં આવી હતી.
જેનું આજરોજ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહભાઈ તડવી, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશ્મુખે લીલી ઝંડી આપી જિલ્લા કલેકટર કચેરી ખાતેથી મેડીકલ ઓફિસરશ્રી, નાંદોદના લાછરસ પ્રા.આ.કેન્દ્ર અને મેડીકલ ઓફિસરશ્રી સાગબારાના કોલવાણ પ્રા.આ.કેન્દ્રને લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની રાહબરીમાં નાગરિકોની સુખાકારી, આરોગ્ય લક્ષી સુવિધાઓને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવેલી નવી મોબાઈલ હેલ્થ કેર યુનિટ (મેડીકલ વાન) થી લોકોને ઘરઆંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે ઈંચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.કે.જાદવ, નાંદોદ પ્રાંત અધિકારીશ્રી ડો.
કિશનદાસ ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જનકકુમાર માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.અનીલ વસાવા, જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડૉ. મુકેશ પટેલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં અન્ય અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.