યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ગાંધીધામમાં નવું ફાઇનાન્શિયલ સેન્ટર શરૂ કર્યું
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (યુટીઆઈ એમએફ) ગુજરાતના ગાંધીધામ ખાતે નવું યુટીઆઈ ફાઇનાન્શિયલ સેન્ટર (યુએફસી) ખોલવાની જાહેરાત કરી છે.
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (યુટીઆઈ એમએફ) ગુજરાતના ગાંધીધામ ખાતે નવું યુટીઆઈ ફાઇનાન્શિયલ સેન્ટર (યુએફસી) ખોલવાની જાહેરાત કરી છે. નવું યુએફસી દુકાન નંબર 106,
પહેલા માળે, ઋષભ કોર્નર, ટાગોર રોડ, સેક્ટર 8, ગાંધીધામ 370201 પર સ્થિત છે અને તે 23 ઓગસ્ટ 2023ના રોજ ખૂલશે.
યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના સેલ્સ હેડ શ્રી પેશોતન દસ્તૂરે જણાવ્યું હતું કે, રોકાણકારોની સુવિધાને પ્રાથમિકતા તરીકે, યુટીઆઈ એમએફ નાના શહેરો અને નોન-મેટ્રો
વિસ્તારોને આવરી લેવા માટે તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં વધારો કરી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય અંતર ભરવાનો અને અમારા રોકાણકારોને તેમના ઘરઆંગણે અમારી પ્રોડક્ટ્સ તથા સર્વિસીસની
સરળ એક્સેસ પ્રદાન કરવાનો છે.
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ ફાઇનાન્શિયલ સેન્ટર્સ (યુએફસી), બિઝનેસ ડેવલપમેન્ટ એસોસિએટ્સ, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ (એમએફડી)ને સમાવતા તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તથા બેન્કો સાથે
જોડાણ થકી તેના રોકાણકારો સુધી પહોંચે છે.
પીયૂષ ગોયલે યુકેની ચૂંટણી પછી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પ્રગતિની ખાતરી આપી છે જ્યારે ભારત-EU વેપાર વાટાઘાટોને આગળ વધારીને, ભારતના આર્થિક વિકાસને મજબૂત બનાવશે.
ભારતમાં, સામાન્ય માણસ પોસ્ટ ઓફિસ અને અન્ય ઘણી સરકારી બચત યોજનાઓમાં નાની બચત કરવાનું પસંદ કરે છે. બજેટ પહેલા જ સરકારે આ યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરીને સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જાણો કઈ સ્કીમ પર સરકાર કેટલું વ્યાજ આપશે...
જેએસડબલ્યુ ગ્રૂપનો હિસ્સો અને ભારતની બીજા ક્રમની સૌથી મોટી ખાનગી કમર્શિયલ પોર્ટ ઓપરેટર જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (“કંપની”)એ તેની સંપૂર્ણ માલીકીની પેટા કંપની જેએસડબલ્યુ પોર્ટ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (“અધિગ્રહણકર્તા”) દ્વારા નવકાર કોર્પોરેશન લિમિટેડ (“નવકાર”)માં પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપના 70.37 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરવા માટેની સંમતિ દર્શાવી છે.