અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની સુવિધા માટે UTS એપ અને ATVM સુવિધા ઉપલબ્ધ છે
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં યાત્રીઓની સુવિધા માટે UTS એપ અને ATVM (ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે યાત્રીઓને
અનરિઝર્વ્ડ (સામાન્ય) રેલવે ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં યાત્રીઓની સુવિધા માટે UTS એપ અને ATVM (ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન)ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે યાત્રીઓને
અનરિઝર્વ્ડ (સામાન્ય) રેલવે ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. હવે યાત્રીઓ તેમની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ જાતે જ બુક કરીને તેમનો સમય અને નાણાં બંને
બચાવી શકશે.
હવે યાત્રીઓ તેમના મોબાઈલ ફોનમાં UTS એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશનની અનરિઝર્વ્ડ (સામાન્ય) ટિકિટ બુક કરી શકે છે અથવા સ્ટેશન પર ઉપલબ્ધ
ATVM (સ્વચાલિત ટિકિટ વિતરણ મશીન) દ્વારા તમે જાતે કોઈપણ સ્ટેશનથી કોઈપણ સ્ટેશન સુધીની ટિકિટ બુક કરીને યાત્રા કરી શકો છો. તેના નીચે જણાવેલ મુખ્ય ફાયદાઓ છે-
યુટીએસ એપ (UTS APP) | એટીવીએમ (ATVM) |
તમે ઘરે બેસીને અથવા સ્ટેશનની 20 KM ત્રિજ્યામાં રહીને તમારા પોતાના મોબાઇલ ફોન પર ટિકિટ બુક કરી શકો છો યાત્રા, સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે ચુકવણી માટે યુપીઆઈ/ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ અને R-Wallet સુવિધા ઉપલબ્ધ છે R-Wallet રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો. સ્ટેશન પર જવાની અને ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં સમય અને પૈસા બંને બચાવો. છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં પેપરલેસ ટિકિટિંગની સુવિધા ઉપલબ્ધ છે. પર્યાવરણ માટે ફાયદાકારક. |
સ્ટેશન પર જઈને ત્યાં ઉપલબ્ધ ઓટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM) પરથી પોતાની ટિકિટ બુક કરીને યાત્રા કરી શકો છો. યાત્રા,સિઝન અને પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે. ચુકવણી માટે UPI QR કોડ અને રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ છે રેલવે સ્માર્ટ કાર્ડ રિચાર્જ પર 3% વધારાની બોનસ રકમ મેળવો ટિકિટ બારી પર લાઈન લગાવવાની ઝંઝટ નહીં સમય અને પૈસા બંને બચાવો છુટ્ટા પૈસાની કોઈ સમસ્યા નહીં |
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.