હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ
જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.
ગીર સોમનાથ : જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.
સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં બળદગાડાંને શણગારવામાં આવ્યાં હતાં. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ ‘ગાંધીજી’, ‘ભારતમાતા’ સહિતની વેશભૂષા ધારણ કરી હતી.
‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે ઉના ખાતેથી નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં નાગરિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં પદાધિકારીશ્રીઓ સહિત ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા અને વહીવટી તંત્રના
અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતાં.
આ વર્ષે, ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે ગુજરાત પોલીસના 21 કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. પરંપરા મુજબ, સરકારે જાહેરાત કરી છે કે બુધવારે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા, ઉદાહરણરૂપ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે. આ વર્ષે, પોલીસ, ફાયર, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1,037 કર્મચારીઓને વીરતા અને સેવા ચંદ્રકો પ્રાપ્ત થશે.
ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી અને પ્રવાસન-સાંસ્કૃતિક સંબંધો વધારવા ઉત્સુકતા દર્શાવી.
મહાનુભાવો હસ્તે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરાયું: સાથે પ્રશસ્તિપત્ર પણ અર્પણ કરાયા.