હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ
જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.
ગીર સોમનાથ : જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે.
સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં બળદગાડાંને શણગારવામાં આવ્યાં હતાં. આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ ‘ગાંધીજી’, ‘ભારતમાતા’ સહિતની વેશભૂષા ધારણ કરી હતી.
‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ના જયઘોષ સાથે ઉના ખાતેથી નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં નાગરિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં પદાધિકારીશ્રીઓ સહિત ઉના પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા અને વહીવટી તંત્રના
અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતાં.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી