વડોદરા જિલ્લાના પી.એમ. કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ તા.૩૦ જૂન સુધી ફરજિયાત “E-KYC” કરાવી લેવું
પી.એમ. કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. હજુ પણ જિલ્લાના કુલ ૨૩,૭૨૧ લાભાર્થી ખેડૂતો દ્રારા ઈ-કેવાયસી કરાવેલ નથી. હાલ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.
પી.એમ. કિસાન યોજના અંતર્ગત ઈ-કેવાયસીની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. હજુ પણ જિલ્લાના કુલ ૨૩,૭૨૧ લાભાર્થી ખેડૂતો દ્રારા ઈ-કેવાયસી કરાવેલ નથી. હાલ આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજિયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.
વડોદરા જિલ્લામાં કુલ ૨૩,૭૨૧ લાભાર્થીઓએ E-KYC કરાવેલ નથી.જે તા. ૩૦.૬.૨૦૨૩ સુધીમાં E-KYC ના કરાવે તો આગામી સમયમાં લાભાર્થી વંચિત રહી જશે. તાલુકાવાર બાકી ઈ-કેવાયસીમાં વડોદરા ગ્રામ્યના ૩૧૫૫ ખેડૂતો, ડભોઈના ૩૭૮૯, કરજણના ૩૯૮૩, પાદરામાં ૩૩૩૨, વાઘોડિયાના ૧૬૬૧, શિનોરના ૨૦૨૮, સાવલીના ૪૨૧૬ અને ડેસર તાલુકાના ૧૫૫૭ ખેડૂતોનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM-KISAN યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજિયાત “e- KYC” કરવાનું થાય છે. વડોદરા જિલ્લાના તમામ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ સરકારશ્રી તરફથી સહાય આપવામાં આવી રહી છે. જેમા યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.
E- KYC તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની એક પ્રકીયા છે અને જો તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક ન હોય તો તમારે બેંકમાં રૂબરૂ જઈને તમારા એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજિયાત છે.
E- KYC કરવા માટે તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. જો તમારૂ આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક કરેલ ન હોય તો પહેલા તાત્કાલીક આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો.
તમારા નજીકના કોમન સર્વીસ સેન્ટર (CSC), સેવા સદન (મામલતદાર કચેરી), ઈ-ગ્રામ સેન્ટર, તથા અમુક સરકાર તરફથી નિમાયેલ બેંકમાં પણ લીંક પ્રકિયા થઈ શકે છે. હાલ જિલ્લામાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારી પણ આ કામગીરી કરી રહ્યા છે.
E- KYC કરવા માટે પહેલા તો મોબાઈલના જાણકાર ખેડૂત જાતે જ https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx ની વેબસાઈટ પર જઈને E-KYC ઓપશન પર કલીક કરીને અપડેટ કરી શકે છે. જેમાં ખેડૂતો પાસેથી તેમનો આધાર નંબર અને લીંક કરેલ મોબાઈલ નંબર માંગશે તેમાં એક OTP ચાર અંકનો આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર OTP છ અંકનો આવશે તે નાખ્યા બાદ ઉપર E-KYC IS SUCCESSFULLY SUBMITTED લખેલું આવે એટલે તમારૂ E-KYC અપડેટ થઈ જાય છે.
આ ઉપરાંત કોઈ પણ બાકી ઈ-કેવાયસીના લાભાર્થી માટે ભારત સરકાર દ્રારા પી.એમ. કિસાન મોબાઈલ એપ્લીકેશન દ્રારા ફેસ ઓથેન્ટીકેશન ઈ- કેવાયસી કરવા માટે મોબાઈલ એપ્લીકેશન પર PMKISAN GoI એપ્લીકેશન ઈનસ્ટોલ કરવાની રહેશે. લાભાર્થી પોતાનું તથા પોતાના સિવાય અન્ય લાભાર્થીઓના જેમના યોજનામાં મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરેલ ન હોય તેવા ૧૦ લાભાર્થીઓના ઈ- કેવાયસી કરી શકશે.
વધુ વિગતો માટે જે તે ગામના ગ્રામસેવક ,વી.સી.ઈ, CSC કેન્દ્રના પ્રતિનિધિ, ઈ-ગ્રામ કેન્દ્ર તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારીશ્રીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.