વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૧૧ કરોડના ૫૨૬ કામો મંજૂર કરાયા
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ વડોદરા જિલ્લામાં આયોજન હેઠળના બાકી કામો ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું હતું.જેથી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરી શકાય.
વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠક વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને મળી હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ વડોદરા જિલ્લામાં આયોજન હેઠળના બાકી કામો ઝડપભેર પૂર્ણ કરવા જણાવ્યું હતું.જેથી નાગરિકોની સુવિધાઓમાં વધારો કરી શકાય.જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોના નાના નાના પ્રશ્નોનો ઝડપભેર ઉકેલ લાવવા તેમણે તંત્ર વાહકોને સૂચનાઓ આપી હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ હેઠળ જિલ્લાના આઠ તાલુકાઓ માટે રૂ.૯૭૫ લાખના ખર્ચે ૪૯૯ વિકાસ કામ, પાંચ ટકા પોત્સાહક જોગવાઈ હેઠળ રૂ.૨૫ લાખના ૧૧ કામો તેમજ જિલ્લાની ચાર નગરપાલિકાઓ માટે રૂપિયા એક કરોડના ૧૬ કામો સહિત કુલ રૂ.૧૧૦૦ લાખના ૫૨૬ વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એટીવીટી યોજના વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીના કામોની વિસ્તૃત સમીક્ષા કરવા સાથે સાંસદ સભ્ય ગ્રાન્ટના કામોની સમીક્ષા કરી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ખાસ પ્લાનની યોજનાના વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૦ લાખના ખર્ચે હાથ ધરાનાર ત્રણ કામો મંજુર કરવામાં આવ્યા હતા.
જિલ્લા આયોજન અધિકારી શ્રી એમ.આર. રાઓલે આયોજન મંડળના કામોની વિસ્તૃત વિગતો આપી હતી. ગૃહ રાજ્ય મંત્રીશ્રી ગાંધીનગર ખાતેથી આ બેઠકમાં જોડાયા હતા.વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહીડા,મેયર શ્રીમતી પિન્કીબેન સોની,ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, તાલુકા પંચાયત,નગર પાલિકાના પ્રમુખશ્રીઓ,કલેકટર શ્રી બિજલ શાહ,જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા,અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.