વડોદરાની કરુણા એમ્બ્યુલન્સે રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવ્યો
રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી કરુણા એમ્બ્યુલન્સ વડોદરા શહેર વિસ્તારમાં અબોલ પશુ-પક્ષીઓની સારવાર માટે હંમેશા કાર્યરત રહે છે. કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૪૩,૫૮૩ થી વધારે પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.
રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી કરુણા એમ્બ્યુલન્સ વડોદરા શહેર વિસ્તારમાં અબોલ પશુ-પક્ષીઓની સારવાર માટે હંમેશા કાર્યરત રહે છે. કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૪૩,૫૮૩ થી વધારે પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં મેડિકલના ૧૪,૮૮૭; મેડિકલ સપ્લાયના ૨૯૦૬; સર્જીકલના ૨૨,૨૨૪; ગાયનેકોલોજીકલના ૨૪૯ અને અન્ય ૩૩૧૭ કેસ સહિત કુલ ૪૩,૫૮૩ થી વધારે પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે.
તા. ૨૪/૦૯/૨૦૨૩ ના રોજ વાઘોડિયા રેન્જના કુમેઠા ગામે રાષ્ટ્રીય પક્ષી એવા મોરને એક શ્વાન દ્વારા બચકું ભરી લેવામાં આવ્યું હતું. જાણકારી મળતા જ સ્થાનિક વન રક્ષક રૂપલબેન પ્રજાપતિએ ૧૯૬૨ પર ફોન કરીને જાણ કરી હતી. શ્વાનના બચકાના કારણે ઘા એટલો ઊંડો હતો કે, મોરનું હૃદય દેખાતું હતું. ફોન પર માહિતી મળતા જ વડોદરા કરુણા એમ્બ્યુલન્સના ડો. ચિરાગ પરમાર અને પાયલોટ રતનસિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જંગલ ખાતા દ્વારા કરુણાની ટીમને મોરને સોંપવામાં આવ્યા બાદ તાત્કાલિક ઈજાગ્રસ્ત મોરની ત્યાં જ સર્જરી કરવામાં આવી હતી. જેમાં મોરને ૩૨ (બત્રીસ) ટાંકા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મોરને સહી સલામત રીતે ડ્રેસિંગ કરીને જંગલ ખાતાને સોંપવામાં આવ્યો હતો. આ ઘા એટલો ઊંડો હતો કે સર્જરી કરવી મુશ્કેલ હતી. પરંતુ કરુણા એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક સર્જરી કરતા મોર હાલ સામાન્ય સ્થિતિમાં છે. મોરનું સતત ફોલો અપ લેવામાં આવી રહ્યું છે અને તે હાલ સારવાર હેઠળ છે. રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવવો એ ગૌરવની લાગણી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.