પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વાલ્મિકી સમાજના સભ્ય ચીમનભાઈ સોલંકીએ શપથ લીધા
પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે આજે વાલ્મીકી સમાજના સભ્ય ચીમનભાઈ સોલંકીએ શપથ લીધા હતા. શહેરમાં અત્યારથી જ શરૂ થયેલા વિકાસના કામો ચાલુ રાખવા અને તેના વધુ વિકાસ માટે જરૂરી પ્રયાસો કરવા તેમણે વચન આપ્યું હતું.
પ્રતિનિધિ મહેશભાઈ સી.સોલંકી પાલનપુર: પાલનપુર નગરપાલિકા નાં નવા પ્રમુખ તરીકે શ્રી ચીમનભાઈ એસ સોલંકી ને આજે વિધિવત રીતે બપોરે ૧૨ /૩૯ ના વિજય મુહર્ત માં પોતાના અઢી વર્ષ ના પ્રમુખ તરીકે નો ચાર્જ સંભાળ્યો હતો ચીમનભાઈ સોલંકી એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અગાઉ પાલનપુર શહેરમાં વિકાસકાર્યો થયાં છે અને અધૂરા છે તેને પૂરાં કરીશું અને પાલનપુર નાં વિકાસ માટે જરૂરી પ્રયત્ન કરીશું ચીમનભાઈ સોલંકી ની તેમનાં સાથી નગરસેવકો એ ફૂલહાર પહેરાવીને શુભકામનાઓ પાઠવી હતી ચીમનભાઈ સોલંકી વાલ્મીકિ સમાજ માંથી આવે છે એટલે વાલ્મીકિ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું શુભકામનાઓ પાઠવી હતી.
પ્રમુખ તરીકે સોલંકીની ચૂંટણી એ વાલ્મિકી સમુદાય માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે લાંબા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલ છે અને સત્તાના હોદ્દા પર ઓછું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો વિજય સમુદાયના વધતા રાજકીય અને સામાજિક સશક્તિકરણનો પુરાવો છે.
"અમદાવાદ અને સુરતમાં ગુજરાત પોલીસની મોટી કાર્યવાહીમાં 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત. જાણો દસ્તાવેજોની ચકાસણી, પોલીસની રેડ અને હર્ષ સંઘવીની ચેતવણી વિશે સંપૂર્ણ માહિતી."
"અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની નવી સેવા 27 એપ્રિલ, 2025થી શરૂ! સચિવાલય અને ગિફ્ટ સિટી સુધી 7 નવા સ્ટેશનો સાથે ઝડપી અને સુરક્ષિત મુસાફરી. જાણો ટાઈમટેબલ, ટિકિટ દર અને લાભો વિશે વિગતવાર માહિતી."
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતના માધ્યમથી સમગ્ર દેશમાં કુલ ૪૭ સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંદાજે ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.