સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે
ગુજરાત સરકાર દ્વારા ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન કાર્યક્રમને જાહેર કરવામાં આવેલ છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ જોવા મળશે જન આંદોલનનો સહયોગ.
રાજપીપલા : સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન દ્વારા તા. ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ થી તા. ૦૨ ઓકટોબર ૨૦૨૩ સુધી સંયુક્ત રીતે “સ્વચ્છતા હી સેવા” પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં
એક માસ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આગામી ૧૫ ઓક્ટોબરના રોજ આ કાર્યક્રમ પૂર્ણ થાય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વધુ બે માસ એટલે કે ૧૬ ડિસેમ્બર સુધી ‘સ્વચ્છતા એજ સેવા’ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પણ
સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ જન આંદોલનનો સહયોગ જોવા મળશે.
સ્વચ્છતા અભિયાનમાં જન આંદોલનને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં તમામ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, મંદિર, બાગ બગીચા, ટુરીસ્ટ પ્લેસ, રોડ જંક્શન વગેરે તમામ જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવા તેમજ કોઇપણ સ્થાન ઉપર ક્ચરો ન દેખાય તેની ખાસ
કાળજી રાખવી, સંબંધીત વિભાગના જિલ્લા/તાલુકા/ગ્રામ્યક્ષામાં સફાઈની કામગીરીનું અસરકારક મોનીટરીંગકરવાનું રહેશે તથા સફાઇ કામગીરીના સ્થળોની મુલાકાત લેવાની રહેશે, જિલ્લા/તાલુકા/રાજયકક્ષાના પદાધિકારીશ્રીઓ, સ્થાનિક સંસ્થાના પ્રમુખશ્રીઓ, સખી મંડળો, એનસીસી, એનએસએસ, આરડબલ્યુએ, એનજીઓ વગેરેને સ્વચ્છતા અંગેની કામગીરીમાં અને સ્વચ્છતા એજ સેવામાં સહભાગી બનવા જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.