વિનેશ ફોગટે હવે ઉઠાવ્યું મોટું પગલું, ખેલ રત્ન સાથે આ એવોર્ડ પરત કરવાનો કર્યો નિર્ણય
રેસલર વિનેશ ફોગાટે ખેલ રત્ન એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે.તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી.
કુસ્તીબાજો અને બ્રિજભૂષણ શરણ સિંહને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિનેશ ફોગાટે હવે મોટો નિર્ણય લીધો છે. અગાઉ બ્રિજ ભૂષણના નજીકના સંજય સિંહ WFIના ચીફ તરીકે ચૂંટાયા હતા.
આ પછી ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે નિવૃત્તિ લીધી અને બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો. ત્યારબાદ સરકાર એક્શનમાં આવી અને WFIની નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી. જે બાદ ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખ સંજય સિંહ અને તેમની આખી ટીમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે વિનેશ ફોગાટે એક મોટું પગલું ભર્યું છે.
વિનેશ ફોગાટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!