સ્વીપ એક્ટિવિટી અંતર્ગત પ્રાથમિક શાળા કક્ષાએ યોજાઈ રહ્યું છે મતદાર જાગૃતિ અભિયાન
પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગામમાં જઈને સિગ્નેચર કેમ્પેઈન હાથ ધરાયું. મતદારોએ ઉત્સાહભેર ભાગ લઈ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લીધા.
રાજપીપલા : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયન મહત્તમ મતદાન થાય તેના માટે જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ૨૧-ઉટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૮ નાંદોદ વિધાનસભા અને ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં હાલમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો પુરજોશમાં ચાલી રહી છે.
આગામી ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, TIP નોડલ અને જિલ્લા વિકાસ
અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન તેમજ સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવેની રાહબરીમાં સ્વીપ એક્ટિવિટી મતદાન જાગૃતિ અભિયાને વેગ પકડ્યો છે. જેના ભાગરૂપે આજે તા.૨૪/૦૪/૨૦૨૪ને બુધવારના રોજ દેડિયાપાડા અને સાગબારા તાલુકાની શાળાઓમાં શિક્ષકો-BLO દ્વારા ખાસ ઝૂંબેશના ભાગરૂપે સિગ્નેચર કેમ્પેઈન હાથ ધર્યું હતું. જેમાં ગામના મતદારોને મતદાન અંગેની સમજ
આપી ફળિયામાં જઈને સિગ્નેચર કેમ્પેઈન કરતા તેમાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. મતદારોએ સિગ્નેચર કેમ્પેઈનમાં જોડાઈને અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.
મેદસ્વિતા સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ નાગરિકો કઈ રીતે થઈ શકે એ માટે ગુજરાતમાં 'સ્વાસ્થ્ય ગુજરાત - મેદસ્વીતા મુક્ત ગુજરાત' શરૂ કરવામાં આવ્યું હોવાનું જણાવી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મેદસ્વિતા સામે અભિયાન શરૂ કરનારું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય છે.
દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ખુશ્બૂ ગુજરાત કી…’ જેવા કેમ્પેઇન દ્વારા દેશવિદેશથી પ્રવાસીઓ ગુજરાત આવતાં થયા છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.