મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન થકી નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે અપાઈ રહેલી સમજ
આગામી ૨૯ મી ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી જિલ્લાના તમામ તાલુકા-ગામોમાં જઈ વાન થકી જાગૃતિ અભિયાન ચાલશે.લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે.
રાજપીપલા : આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા
મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે. તેવી જ રીતે નર્મદા જિલ્લાને પણ એક વાન મળી છે. આ વાનને જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે ફ્લેગ ઓફ કરાયા બાદ આજે ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં ડેમોન્સ્ટ્રેશનની કરવામાં આવી રહ્યું છે. નાગરિકો દ્વારા પણ આ વાનને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આ અભિયાનની સાથે સાથે જિલ્લા કલેક્ટર કચેરી સંકુલ, તાલુકા મામલતદારશ્રીની કચેરી તેમજ ગ્રામ પંચાયતોમાં જઈને પણ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી કરવામાં આવી રહી છે. નાગરિકોને મતદાનની પ્રક્રિયા અંગેની જાણકારી ઈન્સ્ટ્રક્ટરશ્રીઓ દ્વારા આપવામાં આવી રહી છે.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી