સલામત અને શાંતિપૂર્ણ ગણેશોત્સવની ઉજવણી સુનિશ્ચિત કરવા વઘઈ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી
ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશને આગામી ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, ગણેશ મંડળના આયોજકો અને અન્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી.
પ્રતિનિધિ સુશીલ પવાર, ડાંગ: ગણેશોત્સવ પર્વ નિમિત્તે તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વઘઈ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી..પ્રાપ્ત વિગતો અનુસાર આવનાર ગણેશોત્સવ પર્વને લઈને વઘઈ પોલીસ મથકે ગામના આગેવાનો અને અલગ અલગ ગણેશ મંડળ આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.આ પ્રસંગે પી.આઇ. ડી. ડી.પરમાર અને પી.એસ.આઇ.પી.બી.ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.જેમાં પોલીસે ગણેશોત્સવનો તહેવાર આવતો હોવાથી શાંતિપ્રિય માહોલમાં ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરી હતી.
ગણેશોત્સવ દરમિયાન ગણપતિ સ્થાપના માટે પરવાનગી કેવી રીતે લેવી ? ગણેશ સ્થાપના સમયે કઈ કઈ તકેદારી રાખવી વગેરે મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.તેમજ ગણેશજીની પીઓપી ની મૂર્તિ નો સ્થાપક નહીં કરી માટેની મૂર્તિની સ્થાપના કરવા માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં ગણેશ મંડળ આયોજકોને વઘઈ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.