વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ લિમિટેડ એક મનભાવક મુસાફરી શરૂ કરે છે
ફૂડ અને બેવરેજ ઉદ્યોગની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે નવરાત્રિના તહેવાર દરમિયાન તેની ક્વિકશેફ સ્પાઈસ રેન્જ લોન્ચ કરતાં ખુશી અનુભવે છે, જે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે.
વડોદરા : ફૂડ અને બેવરેજ ઉદ્યોગની અગ્રણી કંપનીઓમાં સ્થાન ધરાવતી વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે નવરાત્રિના તહેવાર દરમિયાન તેની ક્વિકશેફ સ્પાઈસ રેન્જ લોન્ચ કરતાં ખુશી અનુભવે છે, જે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વિસ્તરણ દર્શાવે છે. ભાવિ રૂપરેખાને આગળ વધારવાના અભિગમ સાથે, કંપનીનો ઉદ્દેશ્ય આ નવીન ઓફર સાથે બજારમાં મહત્વનું સ્થાન મેળવવાનો છે. એક આકર્ષક નવા સેગમેન્ટમાં પદાર્પણ સાથે કંપની આ વ્યૂહાત્મક પગલા દ્વારા તેની સફરમાં પરિવર્તનકારી પ્રકરણને ચિહ્નિત કરે છે.
ક્વિકશેફ સ્પાઈસ રેન્જનું અનાવરણ એ એક અવિસ્મરણીય પ્રસંગ હતો, જેમાં બાગેશ્વર ધામ સરકારના પરમ પૂજનીય શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીની ઉપસ્થિતિથી તેની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. નવરાત્રિ ઉત્સવમાં તેમની હાજરીએ આ પ્રસંગને પવિત્ર આભા પ્રદાન કરી હતી અને કાર્યક્રમના આધ્યાત્મિક સારને સમૃદ્ધ બનાવ્યો હતો.
આ પહેલ પાછળના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ પર ભાર મૂકતા વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે, “મસાલાના સેગમેન્ટમાં અમારો પ્રવેશ નવીનતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને અમારા ગ્રાહકોની વિકસતી રૂચિને પરિપૂર્ણ કરે છે. અમે ઉચ્ચ-ગુણવત્તાવાળા મસાલાઓની વધતી જતી માંગને સમજીએ છીએ અને સર્વશ્રેષ્ઠ જ ઓફર કરવા માટે કટિબદ્ધ છીએ. ક્વિકશેફ સ્પાઈસ રેન્જ સાથે, અમારો ઉદ્દેશ્ય ભારતીય મસાલાના સમૃદ્ધ અને અધિકૃત સ્વાદને વિશ્વ સમક્ષ લાવવાનો છે, જે રાંધણકળા રસિકોને તેમની વાનગીઓને ભારતના સારથી ભરપૂર કરવા સક્ષમ બનાવે છે. આ પહેલ અમારા ભવિષ્યલક્ષી અભિગમની માત્ર શરૂઆત છે અને અમે અમારા ગ્રાહકો માટે નવા અને આકર્ષક સ્વાદ અને અનુભવો લાવવા માટે ઉત્સાહિત છીએ.”
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.