પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું
પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળ ના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી.
જનરલ મેનેજર મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન બિલ્ડીંગ, સરકુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને અન્ય મુસાફરોની સુવિધાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે સ્ટેશન પર પ્લેટફોર્મ 1-3 અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી નું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર ચાલી રહેલા કામોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી અને રિડેવલપમેન્ટના કામને ઝડપી બનાવવા અને સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપી હતી.
આ દરમિયાન જનરલ મેનેજર ની સાથે એઆરએમ ગાંધીધામ, શ્રી આશિષ ધાનિયા સહિત અન્ય રેલવે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.