પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમર રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ ફેસ્ટિવલને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે પ્રમાણે છે.
પશ્ચિમર રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ ફેસ્ટિવલને જોતાં, યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09411 અમદાવાદ-ગ્વાલિયર સ્પેશિયલ 19, 26 ઓક્ટોબર અને 02 નવેમ્બર 2024 (શનિવાર) ના રોજ અમદાવાદથી 20.25 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 13.00 કલાકે ગ્વાલિયર પહોંચશે. આ પ્રમાણે ટ્રેન નંબર 09412 ગ્વાલિયર-અમદાવાદ સ્પેશિયલ 20, 27 ઓક્ટોબર અને 03 નવેમ્બર 2024 (રવિવાર) ના રોજ ગ્વાલિયરથી 16.30 કલાકે ઉપડશે તથા બીજા દિવસે 09.05 કલાકે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, ગુના અને શિવપુરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.
ટ્રેન નંબર 09411 નું બુકિંગ 16 ઓક્ટોબર, 2024 થી યાત્રી રિઝર્વેશન સેન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક એક વિશાળ હિમપ્રપાત થયો હતો, જેમાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) ના ઘણા કામદારો ભારે બરફ હેઠળ ફસાઈ ગયા હતા. અધિકારીઓએ શુક્રવારે મોડી રાત્રે પુષ્ટિ આપી હતી કે ફસાયેલા 57 કામદારોમાંથી 32 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નક્કર પ્રયાસો સાથે, ભારત 2027 સુધીમાં ટોચના ત્રણ અર્થતંત્રોમાં ઉભરી આવશે. શુક્રવારે સ્વદેશી મિસાઇલ સિસ્ટમ્સ માટે ડિઝાઇન અને વિકાસ કેન્દ્રની મુલાકાત લેતી વખતે તેમણે આ નિવેદન આપ્યું હતું.
પીએમ મોદી ૧ માર્ચના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર કેન્દ્રિત પોસ્ટ-બજેટ વેબિનારમાં ભાગ લેશે.