ગીરસોમનાથ 108 દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
જીવનરક્ષક એવા 108 વિભાગ દ્વારા પર્યાવરણ રક્ષક બનીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ગીર સોમનાથ : સ્વસ્થ અને સારૂ જીવન જીવવા માટે ખોરાક સાથે પર્યાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શુદ્ધ હવા લેવા માટે આ માટેનુ સારૂ પર્યાવરણ હોવું પણ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે.
જે અંતર્ગત જીવનરક્ષક એવા 108 વિભાગ દ્વારા પર્યાવરણ રક્ષક બનીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સિવિલ સર્જન શ્રી ડૉ. જિજ્ઞેશ પરમાર અને સામાજિક વનીકરણ કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં 108 વિભાગના કર્મચારીઓએ સાથે મળીને વેરાવળ ઉપરાંત 108ના કર્મચારીઓ દ્વારા સુત્રાપાડા, કોડિનાર સહિત તમામ તાલુકાના વિવિધ સ્થળોએ 14 જેટલી 108 એમ્બ્યુલન્સ લોકેશનના માધ્યમથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ‘વધારે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ની અપીલ કરવામાં આવી હતી.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.