વડોદરા જિલ્લાના ૭૫ અમૃત સરોવર ઉપર વિશ્વ યોગ દિનની ઉજવણી કરાશે
સમગ્ર માનવજાતને નિરામય જીવન માટે યોગ રૂપે ભારત તરફથી મળેલી દેનને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર તા. ૨૧ જુનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી શરૂ થયેલી આ ઉજવણીની આ વર્ષે નવમી શ્રેણી છે. નવમા વિશ્વ યોગની વડોદરા શહેર અને જિલ્લામાં સુચારૂ રીતે ઉજવણી થાય એ માટે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે.
સમગ્ર માનવજાતને નિરામય જીવન માટે યોગ રૂપે ભારત તરફથી મળેલી દેનને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર તા. ૨૧ જુનને વિશ્વ યોગ દિન તરીકે મનાવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી શરૂ થયેલી આ ઉજવણીની આ વર્ષે નવમી શ્રેણી છે. નવમા વિશ્વ યોગની વડોદરા શહેર અને જિલ્લામાં સુચારૂ રીતે ઉજવણી થાય એ માટે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. આ માટે આજે રાજ્ય સરકાર દ્વારા એક વિડીઓ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાથી કલેક્ટર શ્રી અતુલ ગોર સહિતના અધિકારીઓ જોડાયા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજ્યના ૭૫ જેટલા દર્શનીય સ્થળો ઉપર યોગાભ્યાસુઓ દ્વારા ઉજવણી કરવામાં આવશે. જેમાં વડોદરાના ત્રણ સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, એમ. એસ. યુનિવર્સિટી, વેમાલી ખાતે વિશેષ ઉજવણી કરાશે. વડોદરા જિલ્લામાં નિર્માણ પામેલા ૭૫ અમૃત સરોવર ખાતે પણ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. એમ કલેક્ટર શ્રી અતુલ ગોરે જણાવ્યું છે.
વડોદરા જિલ્લાના તમામ ગામોમાં તા. ૧૫થી ૨૦ જૂન દરમિયાન યોગ અંગે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આ ઉપરાંત ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા,
મહાનગર પાલિકા તથા શૈક્ષણિક સંસ્થાઓ, જેલ, પોલીસ સ્ટેશન, સ્વૈચ્છિક સેવા ભાવી સંગઠનો, યોગ પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો ખાતે વિશ્વ યોગ દિન નિમિત્તે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે.
યોગ એ નિરોગી જીવનની ચાવી છે, એ બાબતને ધ્યાને રાખી નાગરિકો યોગને પોતાની જીવન પદ્ધતિનો ભાગ બનાવે એવા ભાવથી મહત્તમ નાગરિકોને વિશ્વ યોગ દિનની ઉજવણીમાં સહભાગી
બનાવવાનું જિલ્લા વહીવટી તંત્રનું આયોજન છે. વિશ્વ યોગ દિનની ઉજવણી સુચારૂ રૂપે થાય એ માટે થઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુક્ષ્મ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, રમતગમત વિભાગના અધિકારીઓ, યોગ બોર્ડના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.