IND VS AUS: ટીમ ઈન્ડિયાને બેવડો ફટકો, સિરીઝ પણ હારી અને તાજ પણ છીનવાઈ ગયો!
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને કારમી હાર મળી છે. ચેન્નાઈ વનડેમાં ઓસ્ટ્રેલિયા 21 રને જીત્યું. આ હાર સાથે ભારતીય ટીમ હવે નંબર 1 વનડે ટીમ રહી નથી.
ભારતીય ક્રિકેટ ટીમને તેના જ ઘરમાં હરાવવા લગભગ અશક્ય માનવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાએ આ અશક્ય કામ કરી બતાવ્યું છે. ચેન્નાઈમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાનો 21 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 270 રનની જરૂર હતી પરંતુ તે આ હાંસલ કરી શકી નહીં. ભારતીય ટીમ 49.1 ઓવરમાં માત્ર 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ હારને કારણે ટીમ ઈન્ડિયા ન માત્ર સીરીઝ હારી ગઈ પરંતુ તેની સાથે તેના માથા પરથી તાજ પણ છીનવાઈ ગયો.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ વનડે સીરીઝ પર કબજો જમાવતાની સાથે જ ટીમ ઈન્ડિયા નંબર 1 ટીમ નથી રહી. ભારતીય ક્રિકેટ ટીમ વનડે સીરીઝ દરમિયાન નંબર 1 ટીમ તરીકે મેદાનમાં ઉતરી હતી, પરંતુ સીરીઝ હારી જતા જ આ તાજ તેના માથા પરથી હટી ગયો છે.
જો ઓસ્ટ્રેલિયા આ સીરીઝ 2-1થી હારી ગયું હોત તો આ ટીમ ચોથા નંબરે સરકી ગઈ હોત. ન્યુઝીલેન્ડ બીજા સ્થાને પહોંચી ગયું હોત અને ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ હોત, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ભારતને તેના જ ઘરે હરાવ્યું.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન ટીમે ભારતમાં રમાયેલી છેલ્લી 3 ODI શ્રેણીમાંથી 2 જીતી છે. વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયા 0-2થી પાછળ હતું પરંતુ તેમ છતાં તેણે સતત ત્રણ મેચ જીતીને શ્રેણી પર કબજો કર્યો હતો. આ વખતે પણ ઓસ્ટ્રેલિયા 0-1થી પાછળ હતું અને ફરી એકવાર તેણે વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે.
પંજાબ કિંગ્સ સામેની મેચમાં રજત પાટીદારે 23 રન બનાવ્યા હતા. તેણે સારી શરૂઆત કરી હતી પરંતુ તેને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરી શક્યો નહીં.
IPL 2025 ની વચ્ચે, ટીમ ઈન્ડિયા અને સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા માટે એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. તેની બહેન કોમલ શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ વાતની જાણકારી આપી છે.
દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 33 વર્ષના થઈ ગયા છે. મેદાન પર ખૂબ જ શાંત દેખાતો આ મિડલ ઓર્ડર બેટ્સમેન તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે, પરંતુ બેટિંગ કરતી વખતે તે આ વાતથી ખૂબ જ ચિડાઈ જાય છે. જેનો ખુલાસો તેમણે એક ઇન્ટરવ્યુમાં કર્યો હતો.