પશ્ચિમ બંગાળ રાજ્યના સ્થાપના દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બંગાળીઓને શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે અને કવિવર રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને રાજા રામમોહનરાય જેવી પ્રતિભાઓ પુનઃ પેદા થાય એવી કામના કરું છું.