જિયા ખાન આત્મહત્યા કેસનો ચુકાદોઃ અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના કેસમાં CBIની વિશેષ અદાલતે આજે ચુકાદો આપ્યો છે. કોર્ટે અભિનેતા સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે, જેઓ કથિત રીતે જીયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપી હતા. CBI કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ જિયા ખાનની માતા રાબિયા ખાને આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય કર્યો છે.