udChalo એ સૈનિક સમુદાય માટે કોમ્પ્રિહેન્સિવ ફાઇનાન્સિયલ સર્વિસિસની શરૂઆત કરી
udChalo સશસ્ત્ર દળો અને તેમના આશ્રિતોની મદદ કરવા માટે સમર્પિત અગ્રણી કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપની છે, તેણે સૈન્ય કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા અભૂતપૂર્વ નાણાકીય પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ફાઇનાન્સિયલ પ્લાનિંગ સર્વિસિસના એક વ્યાપક સમૂહની રજૂઆત કરી છે.
પૂણે : udChalo સશસ્ત્ર દળો અને તેમના આશ્રિતોની મદદ કરવા માટે સમર્પિત અગ્રણી કન્ઝ્યુમર ટેક્નોલોજી કંપની છે, તેણે સૈન્ય કર્મચારીઓ દ્વારા સામનો કરવામાં આવતા અભૂતપૂર્વ નાણાકીય પડકારોને પહોંચી વળવાના ઉદ્દેશ્યથી ફાઇનાન્સિયલ પ્લાનિંગ સર્વિસિસના એક વ્યાપક સમૂહની રજૂઆત કરી છે. કંપની ફિનટેક સોલ્યુશન્સ 'સેવિંગ' અને 'ઇન્વેસ્ટમેન્ટ'ની બે વ્યાપક કેટેગરીઓ લઈને આવી છે - જે તેમને સંપૂર્ણ અને ઇન્ટીગ્રેટેડ ફાઇનાન્સિયલ સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે. લોનથી લઇને મૂડીરોકાણોથી માંડીને કર બચત વગેરે સુધી udChaloના સોલ્યુશન્સ તેમને વિવેકપૂર્ણ નાણાકીય નિર્ણયો લેવામાં સક્ષમ બનાવશે.
'બચત' ની બાબતોમાં, udChalo ટેક્સ ફાઇલિંગ સર્વિસિસ પૂરી પાડે છે અને અસરકારક રીતે બચત કરવા માટે ઉપલબ્ધ મુક્તિઓને મહત્તમ કરવા માટે પોતાના ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. મોટી લોનની મુશ્કેલીઓને ઓળખી કાઢીને, udChalo એ એવી સંસ્થાઓ સાથે પણ ભાગીદારી કરી છે જે નોંધપાત્ર રીતે ઓછા વ્યાજદરે લોન આપે છે, તેમને પુરતા પ્રમાણમાં બચત કરવામાં મદદ કરે છે. વિવેકપૂર્ણ 'રોકાણ' માટે, udChalo એ બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ સાથે શરૂઆત કરી છે જ્યાં ડિફેનસ કોમ્યુનિટી નિયમિત બેંકો કરતાં સરેરાશ 1 ટકા વધુ કમાણી કરી શકે છે, તમામ બેંક બ્રાન્ચની મુલાકાત લેવાની ઝંઝટ વિના, 5 લાખ રૂપિયા સુધીની એફડીને રિઝર્વ બેંક દ્વારા વીમા કવચ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત, કંપની ટૂંક સમયમાં તેમના જીવનના ધ્યેયોને અનુરૂપ કસ્ટમાઇઝ કરવા મ્યુચ્યુઅલ ફંડની રજૂઆત કરશે, જે તેમના પોતાના અથવા તેમના બાળકોના શિક્ષણ માટે ધિરાણ, નોકરી પછી બિઝનેસ શરૂ કરવા અથવા માત્ર એક મજબૂત ફાઇનાન્સિયલ પોર્ટફોલિયો બનાવવાની સુવિધા પુરી પાડશે.
ભારતમાં સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા, જેમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹87,210 પર પહોંચી ગયો, જ્યારે 1 ગ્રામ ₹8,721 હતો. સોનાના ભાવમાં સતત વધારો વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણકારોના વધતા રસને પ્રતિબિંબિત કરે છે.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.