પેપરકાંડ મામલે યુવરાજ સિંહનો આરોપ, કહ્યું ‘વડોદરા અને અરવલ્લીની ગેંગ ફોડે છે પેપર’
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડ મુદ્દે વધુ કેટલાક પૂરાવાઓ રજૂ કર્યા. અને યુવરાજસિંહે જણાવ્યું કે પેપરકાંડ પાછળ મુખ્ય વડોદરા અને અરવલ્લી ગેંગ સામેલ છે. તેમણે દાવો કર્યો કે દરેક પેપરલીકના તાર એકબીજા સાથે જોડાયેલા છે. આથી વર્ષ 2014 પછીની તમામ ભરતી પરીક્ષાઓની SIT અથવા CBI દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે
આપને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં 17માં આરોપીની ધરપકડ કરાઈ છે. ઓરિસ્સાના સરોજ સીમાયલ માલુને વડોદરાની કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ATS દ્વારા કોર્ટમાં આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. આરોપી સરોજ ઓરિસ્સાના કરતનપલ્લીની યુજીએચ એસ સ્કૂલમાં શિક્ષકની નોકરી કરે છે. અગાઉ ઓરિસ્સામાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયાના કૌભાંડમાં પણ સરોજ અને મુરારી નામના વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. જેમાં એક ઉમેદવારને પાસ કરાવવા રૂપિયા 6 લાખનો ભાવ નક્કી કર્યો હતો. તો બીજી તરફ જુનિયર કલાર્કના પેપરલીક કાંડમાં આરોપી સરોજની કડીરૂપ ભૂમિકા સામે આવી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.