ઇમરજન્સીનું ટ્રેલર રિલીઝ, દર્શકોની જબરદસ્ત પ્રતિક્રિયા, જાણો કંગના રનૌતનો જાદુ કેટલો ચાલ્યો
'ઇમરજન્સી'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ફેમસ થઇ ગયું હતું. ટ્રેલર જોઈને લાગે છે કે કંગના રનૌત ઈન્દિરા ગાંધીની કહાણીને પડદા પર એકદમ અલગ રીતે રજૂ કરવા જઈ રહી છે.
કંગના રનૌતે આખરે તેની મોસ્ટ અવેટેડ ડિરેક્શનલ ફિલ્મ 'ઇમર્જન્સી'નું ટ્રેલર શેર કર્યું છે. ટ્રેલરમાં ઈમરજન્સીના ભયાનક દ્રશ્ય, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો શિમલા કરાર, ખાલિસ્તાન ચળવળનો ઉદય અને જેપી ચળવળ સહિત ઘણા ગંભીર વિષયોને દર્શાવવામાં આવ્યા છે. કંગનાએ માત્ર આ ફિલ્મનું દિગ્દર્શન જ નથી કર્યું, પરંતુ તે તેની નિર્માતા પણ છે અને ભારતના વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવે છે, જેમણે 1975માં કટોકટી લાદી હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મિલિંદ સોમન, મહિમા ચૌધરી અને દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ છે. 'ઇમરજન્સી'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થઈ ગયું હતું, ત્યારપછી સોશિયલ મીડિયા પર દર્શકોના રિએક્શન આવવા લાગ્યા છે.
કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ઇમરજન્સી'નું દરેક પાત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થયું છે. લોકો ટ્રેલરને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. પહેલા યુઝરે લખ્યું, 'કંગનાએ #EmergencyTrailerમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે. તેમનું સમર્પણ દરેક ફ્રેમમાં દેખાય છે. આ ફિલ્મ કંઈક ખાસ બનવાની છે.
અભિનેત્રી હિના ખાને, હાલમાં સ્ટેજ-3 બ્રેસ્ટ કેન્સર માટે કીમોથેરાપી લઈ રહી છે, તેણે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી વિડિયો શેર કર્યો છે જેમાં તેણે પોતાના વાળમાંથી બનાવેલી વિગ પહેરેલી છે.
ઈમરજન્સીના ટ્રેલર લોન્ચ પ્રસંગે કંગના રનૌતે ઘણી બાબતો પર ખુલીને વાત કરી હતી, જેમાં કંગનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ત્રણ ખાન એટલે કે શાહરૂખ, સલમાન અને આમિર વિશે પણ પોતાના મંતવ્યો શેર કર્યા હતા.
NTR જુનિયરે હૈદરાબાદમાં દેવરા પાર્ટ 1નું શૂટિંગ પૂરું કર્યું. કોરાતાલા શિવા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ રિલીઝ થશે.