“વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય”
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને મળશે લાભ,ખેતતલાવડીનું પાણી ખેતીમાં જ વાપરતા હશે ત્યાં વીજ જોડાણ અપાશે
ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે , ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતો માટે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે જેના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતો માટે ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનુ અલાયદું વીજ જોડાણ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
ઊર્જા મંત્રીશ્રી એ ઉમેર્યું કે, જે જગ્યાએ પાણીના તળ નીચા ગયા છે ત્યાં આવું વીજ કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોની રજૂઆત હતી જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ નિર્ણયના કારણે ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને લાભ મળશે. ખેતરમાં બનાવેલ હોજ/સંપ/ટાંકા/ખેત-
તલાવડીમાંથી પાણી ઉદ્બહન કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ ૦૫(પાંચ) હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ અપાશે.
તેમણે ઉમેર્યું કે, જે ખેડૂત કોઈ પણ સ્રોત દ્વારા પોતાના ખેતરમાં બનાવેલ હોજમાં પાણી ભરે અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી સિંચાઇ કરે તો મહત્તમ પ(પાંચ) હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જોડાણ આપવા માટેનાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં ધારાધોરણો નિયત કરાયા હતા. હવે તેમાં સુધારો કરી “હોજ ઉપરાંત સંપ, ટાંકા અને ખેત-તલાવડીમાં થી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી
શકશે એવો સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલ ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચે બનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારના આ ખેડૂત-હિતલક્ષી નિર્ણયને કારણે ભૂગર્ભજળની બચત થશે સાથે સાથે માત્ર ૫ હો.પા.ના ખેતીવાડી વીજ જોડાણના વીજ વપરાશને કારણે ખેડૂતોને વીજબીલમાં પણ બચત થશે. તેમજ પોતાના ખેતરમાં ખેત-તલાવડી બનાવી તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે તેમ તેમણે ઉમેર્યું હતું
ગુજરાતના પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જિલ્લા કલેક્ટર કેડી લાખાણીએ પુષ્ટિ કરી હતી કે સતત વરસાદ છતાં કોઈ જાનહાનિ થઈ નથી.
'નિર્ભયા સેફ સિટી' પ્રોજેક્ટના ભાગરૂપે સમગ્ર અમદાવાદમાં 205 વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી વધારવાનો છે.
મૈરિંગો CIMS હોસ્પિટલ અમદાવાદે SSI મંત્ર રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રકારની પ્રથમ પ્રકારની રોબોટ-આસિસ્ટેડ સ્તન કેન્સર સર્જરી કરીને શહેરમાં ક્લિનિકલ શ્રેષ્ઠતામાં અદ્યતન બેન્ચમાર્ક રજૂ કર્યું છે.