કેવડિયામાં રહેતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈ આપઘાત કરતા ગમગીની
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરત શાહ, નર્મદા : તા. ૧૮ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિની એ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર અર્જુનસિંહ ભૂપેન્દ્રસિંહ રાઠોડ રહે.કેવડીયા કોલોની કેટેગરી ૩ બ્લોક નં ૧૦ રૂમ નં ૫૫ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે નિશાળ ફળીયુ, ખુટકર ગામ તા શહેરા, જી.પંચમહાલ નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની દીકરી રક્ષા અર્જુન રાઠોડનો ગઈકાલે જન્મદિવસ હતો. અને એ પોતાના જન્મદિવસના કારણે તેની સ્કૂલે ગઈ ન હતી. માટે સ્કૂલે ન જતા તેના પિતાએ ઠપકો આપતા તેને લાગી આવતા કેવડિયા બજારની પાછળમાં આવેલ તેના પિતાના રહેઠાણે દુપટ્ટાનો ફાંસો બનાવી પંખે બાંધી લટકી આત્મહત્યા કરી લેતા તેનું મોત થયું હતું. આ બાબતની કેવડિયા પોલીસને જાણ થતા કેવડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.