હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો
મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળાનો લાભ લીધો હતો.
હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો હતો આ મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળા નો લાભ લીધો હતો.
આ મેળામાં ચકરડી ચકડોળ ખાણીપીણી ની દુકાનો મંડાઇ હતી કોઈપણ પ્રકારનું અનિશ્ચિતલીય ઘટના કે બનાવ ન બને તે માટે હારીજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ દુધેશ્વર શિવાલય અઢીસો વર્ષે પહેલા ગાઢ જંગલ સમા વગડામાં નજીકમાં આવેલા ચંદ્રુમાણા ગામની ગાયો ચરવા માટે આવતી હતી એક ગાય એક વૃક્ષના ઝાડ નીચે તેના દૂધનો અભિષેક કરતી હતી રોજ આવી ઘટના બનતા ગાયના માલિક અને માલિક વચ્ચે ગાયના દૂધ માટે માથાકૂટ થઈ હતી કે તું અમારું દૂધ દોહી લે છે ક્યારે ગોવાળી એક દિવસ માલિકની સાથે રાખી આ ગાય ક્યાં જાય છે અને શું પરિસ્થિતિ સર્જાય છે તેનું નિરીક્ષણ કરતા આ ગાય હાલમાં જ્યાં દુધેશ્વર શિવાલય બનાવ્યો છે.
તે જગ્યા ઉપર વગડો હતો અને ત્યાં એક ઝાડ નીચે તેના દૂધનો અભિષેક કરતી હતી ગાય માલિક અને ગોવાળ બંને આશ્ચર્ય પામી ગયા ગયા જેની વાત નજીકમાં જ રહેતા ગેંડા ગીરીબાપુ ને કરતા તે જગ્યા ઉપર ખોદવામાં આવતા સ્વયં શિવલિંગ નીકળ્યું હતું અને પછી ત્યાં દુધેશ્વર મહાદેવ ની સ્થાપના નાના મંદિરથી કરાઈ હતી પરંતુ કે પછી ગાયકવાડ મહારાજા આ સ્થળ ઉપર આવ્યા હતા અને તેમણે દુધેશ્વર શિવાલય બનાવી આજુબાજુની 300 વીઘા જમીન દૂધેશ્વર મહાદેવ જાળવણી અને નિભાવ થાય તે માટે આપવામાં આવી હતી આજે આ જગ્યા દૂધેશ્વર મઠ જાગીર તરીકે ઓળખાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ મહિનાની અમાવસ્યાના દિવસે મેળો ભરાય છે ને જેનો આજુબાજુના 10 થી 12 ગામના શિવભક્તો લાભ લઈને ધન્યતા અનુભવે છે.
મૈરિંગો CIMS હોસ્પિટલ અમદાવાદે SSI મંત્ર રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રકારની પ્રથમ પ્રકારની રોબોટ-આસિસ્ટેડ સ્તન કેન્સર સર્જરી કરીને શહેરમાં ક્લિનિકલ શ્રેષ્ઠતામાં અદ્યતન બેન્ચમાર્ક રજૂ કર્યું છે.
રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકા થી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો.
જૂનાગઢમાં ભારે વરસાદને કારણે વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થતાં આસપાસના આઠ ગામોમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આના પરિણામે ખેતીની જમીન તળાવોમાં ફેરવાઈ ગઈ છે અને રસ્તાઓ ડૂબી ગયા છે,