જયપુરમાં કેમિકલ ફેક્ટરીના બોઈલરમાં વિસ્ફોટ, 5 કામદારોના મોત
જયપુરના બસ્સી પોલીસ સ્ટેશન વિસ્તારની શાલીમાર ફેક્ટરીમાં આગ લાગી હતી, ફેક્ટરીમાં અચાનક બોઈલર ફાટ્યું હતું, તે સમયે કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા.
જયપુર: શનિવારે જયપુરના બસ્સી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 5 મજૂરો જીવતા સળગી ગયાના સમાચાર છે, જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બસ્સી પોલીસ સ્ટેશન વિસ્તારના શાલીમાર ફેક્ટરીમાં આ ઘટના બની હતી. કારખાનામાં અચાનક બોઈલર ફાટ્યું. તે સમયે ત્યાં મજૂરો કામ કરતા હતા.
કહેવાય છે કે બસ્સી વિસ્તારમાં બૈનાડ રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીમાં શનિવારે સાંજે બોઈલર અચાનક ફાટ્યું હતું અને જોરદાર આગ ફાટી નીકળી હતી. બસ્સી પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની મદદથી આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેમિકલ ફેક્ટરી બસ્સીના બૈનાડમાં આવેલી છે. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.
થોડા દિવસો પહેલા વિશ્વકર્માના એક મકાનમાં પણ આગ લાગી હતી. આમાં પાંચ લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો. જયપુરમાં આવી આગની આ બીજી ઘટના હોવાનું જાણવા મળે છે.
રાજ્યસભામાં રેલવે વિશે ઘણી માહિતી આપતી વખતે, અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. રેલ્વે મંત્રીએ કહ્યું કે વિપક્ષી નેતાઓએ રેલ્વે અંગે ભ્રામક નિવેદનો ન આપવા જોઈએ.
ઉત્તર રેલ્વે લખનઉ ડિવિઝનના કાનપુર સેન્ટ્રલ-લખનઉ-એશબાગ સેક્શનમાં બ્રિજ નં. 110 પર એન્જિનિયરિંગ કાર્ય માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પિતા ડૉ. દેવેન્દ્ર પ્રધાનનું ૮૪ વર્ષની વયે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. દેવેન્દ્ર પ્રધાનને શ્રદ્ધાંજલિ આપી.