નર્મદા જિલ્લાની ૭૮ ગ્રામ પંચાયતોમાં મનરેગા અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી
મનરેગા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કામની અપૂર્ણ માંગની સચોટ નોંધણી કરવા અને મનરેગા યોજનામાં શ્રમિકો, કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા મહાત્મા ગાંધી મનરેગા ગ્રામ રોજગાર દિવસનું આયોજન ગ્રામ પંચાયત સ્તરે કરવામાં આવ્યું હતું.
રાજપીપલા : મનરેગા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કામની અપૂર્ણ માંગની સચોટ નોંધણી કરવા અને મનરેગા યોજનામાં શ્રમિકો, કામદારોના અધિકારોને અસરકારક રીતે પહોંચાડવા અને ફરિયાદોનું નિવારણ કરવા મહાત્મા ગાંધી મનરેગા ગ્રામ રોજગાર દિવસનું આયોજન ગ્રામ પંચાયત સ્તરે કરવામાં આવ્યું હતું. તે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન થકી નર્મદા જિલ્લામાં ૭૮ ગામોમાં પ્રથમ તબક્કામાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આગામી દરમાસના પ્રથમ શનિવારે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.
મનરેગા અંતર્ગત નર્મદા જિલ્લાના ૭૮ ગામોમાં ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો અને શ્રમિકોને મનરેગા યોજના અને વિવિધ કામો વિશે વિશેષ માહિતીગાર કરી રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ગ્રામજનોને વિવિધ યોજનાકીય માહિતી જેવી કે જોબકાર્ડ, ૧૦૦ દિવસની રોજગારી, વિવિધ કામની શક્યતાઓ, કામનું આયોજન જેવી બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.
આગામી દિવસોમાં રોજગાર દિવસ તરીકે બાકી ગામોમાં ઊજવણી કરાશે જે અંગે તમામને સુચના આપવામાં આવી છે. ૭૮ ગામોમાં યોજવામાં આવેલા પ્રથમ તબક્કાના કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાદવના માર્ગદશન હેઠળ મનરેગા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી