અમરેલી લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેન ઠુંમરને જન આશિર્વાદ સભાંમાં પ્રચંડ જનસમર્થન
આજરોજ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર જેનીબેન ઠુંમર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આ પહેલા અમરેલીનાં કુંકાવાવ રોડ પર આવેલ "વિ.કે. ફાર્મ "ખાતે ઉમેદવારનાં સમર્થનમાં "જન આશીર્વાદ સભાં"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાંમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
આજરોજ કોંગ્રેસનાં લોકસભાનાં ઉમેદવાર જેનીબેન ઠુંમર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. આ પહેલા અમરેલીનાં કુંકાવાવ રોડ પર આવેલ "વિ.કે. ફાર્મ "ખાતે ઉમેદવારનાં સમર્થનમાં "જન આશીર્વાદ સભાં"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાંમાં સેંકડોની સંખ્યામાં કાર્યકર્તા ઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચુંટણીમાં અમરેલી બેઠક પર ભાજપ ખુબજ રક્ષણાત્મક સ્થિતિમાં હોય તેમ મોળો મોળો પ્રચાર કરી રહ્યું છે. એક તરફ કોંગ્રેસનાં ઉમેદવાર મીડિયા સામે આવી અમરેલી જિલ્લાનાં વિકાસ માટેનાં પોતાના આયોજનની ચર્ચા કરી રહ્યા છે.ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે તેની બીજી તરફ ભાજપ અને તેનાં ઉમેદવાર મીડિયાથી દુર ભાગતા હોય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે.
અમરેલી જિલ્લામાં ભાજપ કાં તો "અતિ આત્મવિશ્વાસ "માં છે અથવા તો" કંઈક કાચું કપાયા "ની મનોસ્થિતિમાં હોય તેમ પ્રચાર કરવાનાં મહત્વપૂર્ણ તબક્કે હજુ પણ હતપ્રભ અવસ્થા માં હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી જિલ્લા ની આ સ્થિતિ કંઈક પરિવર્તન નો સંકેત તો નથી ને? તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં વિદ્યુતિકરણ કામગીરીના લીધે બે ટ્રેનોને રિશિડ્યુલ કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળ થી ઉપડનારી ચાર જોડી સ્પેશ્યલ ટ્રેનોના ફેરાને સમાન સંરચના,સમય, સ્ટોપેજ અને માર્ગ પર લંબાવવામાં આવ્યા છે . આ ટ્રેનોની વિગતો માટે વધુ વાંચો.
રાજ્યમાં 24000 થી વધુ શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. આ માહિતી ગુજરાત સરકારના મંત્રીએ આપી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી અને લગભગ રૂ. 1800 કરોડના મૂલ્યના ત્રણ મહત્વપૂર્ણ અવકાશ ક્ષેત્રના માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.