રાઘવજી પટેલના હસ્તે કુડાસણ - ગાંધીનગર ખાતે ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ
પહેલું સુખ તે જાતે નર્યાના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ-ગાંધીનગર ખાતે આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે.
પહેલું સુખ તે જાતે નર્યાના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ- ગાંધીનગર ખાતે આજે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગોકુલ ગ્રુપ દ્વારા રાજ્યભરમાં પ્રથમવાર શરૂ કરાયેલ ૧૦૦ ટકા ઓર્ગેનિક્સ સ્ટોરમાં ખાદ્ય તેલ, વિવિધ ગરમ મસાલા, મિલેટસ્, ડ્રાયફ્રૂટ્સ,ચોખા, કઠોળ, લોટ-આટો, ડેઈલી ઇટેબલ, સ્વીટનર્સ, જ્યુસ, શાકભાજી, ફળફળાદી, કોલ્ડ કોફી અને વિવિધ સલાડ જેવા વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે,આજે ગાંધીનગરની સાથે અમદાવાદમાં કેશવબાગ, સેટેલાઈટ અને શેલા એમ ચાર સ્થાનો પર ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગોકુલ ગ્રુપ દ્વારા આગામી એક વર્ષમાં ગુજરાત સહિત ભારતભરમાં ૩૦૦ જેટલા ઓર્ગેનિક્સ સ્ટોર શરૂ કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
શુભારંભ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા ટાઈમ ફોર ઓર્ગેનિક્સ સ્ટોરની નવીન એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી હિતેશ મકવાણા, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિહ ગોલ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, સમાજ સેવક અને અંગદાનના પ્રેરક શ્રી દિલીપ દેશમુખ,ભાજપ અગ્રણી શ્રી કે. સી .પટેલ, કોર્પોરેટરશ્રીઓ,ગોકુલ ગ્રુપના એમ.ડી શ્રી ધર્મેન્દ્રસિંહ રાજપૂત, સીઈઓ, સહિત મહાનુભાવો - ઉદ્યોગપતિઓઉપસ્થિત રહ્યા હતા.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.