અમદાવાદમાં જુગારનો મોટો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચે દરિયાપુરના મનપસંદ જીમખાનામાંથી 25 જુગારીઓની ધરપકડ કરી
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી વધુ એક મોટા જુગારધામ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન ચલાવીને 25થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે.
Ahmedabad News: રાજ્યમાં જુગારનું વધતા જતા દુષણને રોકવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે, આજે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી વધુ એક મોટા જુગારધામ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન ચલાવીને 25થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે, આ તમામ જુગારીઓ એક જીમખાનામાં ભેગા થઇને જુગાર રમી રહ્યાં હતા.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળી હતી, આ બાતમીના આધારે શહેરના દરિયાપુરમાં આવેલા મનપસંદ જીમખાનામાં પોલીસે અચાનક દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જ્યાંથી ક્રાઇમ બ્રાન્ચે 25 જુગારીઓને રંગે હાથ જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા. ખાસ વાત છે કે, આ દરોડામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગોવિંદ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે મનપસંદ જીમખાનમાંથી જુગારના હિસાબની ચિઠ્ઠીઓ અને રોકડા રૂપિયા જપ્ત કર્યા હતા, આ પહેલા પણ જીમખાનામાં પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઇ ચૂકી છે.
મનપસંદ જીમખાના પર અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ વખત દરોડા પડ્યા છે, પરંતુ દરોડા બાદ આરોપીઓ મોટું સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમતું કરી નાખે છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચે રોકડ, મોબાઈલ ફોન, વાહન તેમજ જુગારના સાધનો મળીને લાખોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 1 મહિનામાં 2 મોટી રેડ થતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મનપસંદ જીમખાનાના માલિકો સાથે સ્થાનિક પોલીસની સાંઠગાંઠ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.