મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતીમાં રક્તદાન શિબિરનું આયોજન
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે હોસ્પિટલ સાબરમતીમાં વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં રેડ ક્રોસ અમદાવાદના સહયોગથી 15 જૂન 2024ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.હતું.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે હોસ્પિટલ સાબરમતીમાં વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં રેડ ક્રોસ અમદાવાદના સહયોગથી 15 જૂન 2024ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવાંમાં આવ્યો.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ આ અવસર પર જાતે રક્તદાન કર્યું તથા દરેકને રક્તદાન કરવા અપીલ પણ કરી. તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે રક્તદાનના ફક્ત જરૂરતમંદ દર્દીઓનો જીવ બચાવી શકે છે પરંતુ આ એક મહાન સામાજિક કાર્ય પણ છે. આપની થોડીક મદદ કોઈનો જીવ બચાવી શકે છે. રક્તદાન કરીને તમે તમારા સામાજિક જવાબદારીને પુરી કરી શકો છો અને એક નેક કાર્યમાં સહભાગી બની શકો છો.
આ શિબિરમાં મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા , અપર મંડળ રેલ પ્રબંધકશ્રી દયાનંદ શાહુ, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર ડીઝલ શેડ સાબરમતી શ્રી અશોક કુમાર, વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી બિનોદ કુમાર સહીત મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. આ અવસરે રેલ સુરક્ષા બળના સૈનિકોએ ઉત્સાહપૂર્વક આ નેક કાર્યમાં ભાગ લીધો. રેડક્રોસ અમદાવાદના સહયોગથી આ અવસરે 50 યુનિટ બ્લડ જમા કરવામાં આવ્યું.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.