મંડળ રેલવે હોસ્પિટલ સાબરમતીમાં રક્તદાન શિબિરનું આયોજન
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે હોસ્પિટલ સાબરમતીમાં વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં રેડ ક્રોસ અમદાવાદના સહયોગથી 15 જૂન 2024ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.હતું.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે હોસ્પિટલ સાબરમતીમાં વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં રેડ ક્રોસ અમદાવાદના સહયોગથી 15 જૂન 2024ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવાંમાં આવ્યો.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માએ આ અવસર પર જાતે રક્તદાન કર્યું તથા દરેકને રક્તદાન કરવા અપીલ પણ કરી. તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે રક્તદાનના ફક્ત જરૂરતમંદ દર્દીઓનો જીવ બચાવી શકે છે પરંતુ આ એક મહાન સામાજિક કાર્ય પણ છે. આપની થોડીક મદદ કોઈનો જીવ બચાવી શકે છે. રક્તદાન કરીને તમે તમારા સામાજિક જવાબદારીને પુરી કરી શકો છો અને એક નેક કાર્યમાં સહભાગી બની શકો છો.
આ શિબિરમાં મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા , અપર મંડળ રેલ પ્રબંધકશ્રી દયાનંદ શાહુ, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર ડીઝલ શેડ સાબરમતી શ્રી અશોક કુમાર, વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી બિનોદ કુમાર સહીત મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. આ અવસરે રેલ સુરક્ષા બળના સૈનિકોએ ઉત્સાહપૂર્વક આ નેક કાર્યમાં ભાગ લીધો. રેડક્રોસ અમદાવાદના સહયોગથી આ અવસરે 50 યુનિટ બ્લડ જમા કરવામાં આવ્યું.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.
ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને, મેળામાં સુરક્ષા માટે કરવામાં આવતા સીસીટીવી મોનિટરિંગની માહિતી મેળવી: જૂનાગઢ પોલીસની ક્રાઉડ મેનેજમેન્ટ અને ટ્રાફિક નિયંત્રણ માટેની કામગીરીને બિરદાવી.
મહાશિવરાત્રીના પાવન અવસરે ઘૂઘવતા દરિયાના સાનિધ્યમાં શ્રદ્ધા અને કળાના સમન્વય 'સોમનાથ મહોત્સવ'માં પ્રખ્યાત વાયોલીનવાદક શ્રી મૈસૂર મંજૂનાથ, શ્રી સુમંત મંજૂનાથ અને મૃદંગવાદક ડૉ.તીરૂવરૂરની ત્રિપુટીએ વાયોલીન અને મૃદંગની જૂગલબંધીના માધ્યમથી તરખાટ મચાવ્યો હતો.