પદ્મશ્રી અને ભારતના મિલેટ મેન ડૉ. ખાદર વલી દ્રારા ‘એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આયુર્વેદ સલાહકાર-શિક્ષક અને પ્રેરક વક્તા તથા આયુલીંકના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રેરક શાહએ એએમએને તેમના પરોપકારી યોગદાનને વિસ્તૃત કર્યું છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આયુર્વેદ સલાહકાર-શિક્ષક અને પ્રેરક વક્તા તથા આયુલીંકના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રેરક શાહએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(એએમએ)ને તેમના પરોપકારી યોગદાનને વિસ્તૃત કર્યું છે અને વ્યક્તિગત સ્તરે અને સમાજનાં સુખાકારી માટે આયુર્વેદનું મહત્તમ યોગદાન આપવા માટે અને આયુર્વેદ શૈક્ષણિક પ્રવૃત્તિઓની અનોખી પહેલ માટે એએમએ ખાતે ' એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ'ની સ્થાપના કરી છે.
એએમએના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલાએ જણાવ્યું હતું કે આ પહેલ દ્રારા, એએમએ ટૂંકા ગાળાના અભ્યાસક્રમો, એડવાન્સ્ડ સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ, સંશોધન અભ્યાસ, એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ; સમકાલીન થીમ્સ અને વિષયો પર સિમ્પોઝિયમ, સેમિનાર અને કોન્ફરન્સ; ઓપન ગેસ્ટ લેક્ચર્સ; લેખો અને પ્રકાશન; આયુર્વેદના ક્ષેત્રમાં એક્સપોઝર મુલાકાતો, સ્પર્ધાઓ વગેરે જેવી પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ હાથ ધરશે.
આ કાર્યક્રમના ઉપક્રમે પદ્મશ્રી ડૉ. ખાદર વલી, સ્વતંત્ર ખાદ્ય વૈજ્ઞાનિક, મિલેટ મેન ઑફ ઈન્ડિયા દ્રારા ઑક્ટોબર ૩૧, ૨૦૨૩ના રોજ ‘એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે "આરોગ્યમાં સંવાદિતા: આયુર્વેદ અને મિલેટ્સનું મિશ્રણ" વિષય પર પર સંબોધન કર્યું હતું.
કૃપા કરીને કાર્યક્રમની ઝલક માટે જોડાયેલ ફોટોગ્રાફ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.