Rathytra 2024:
Rathytra 2024: ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજે 7 જુલાઈના રોજ અમદાવાદમાં શરૂ થશે. મંદિર ટ્રસ્ટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભગવાનના વાઘા, પ્રસાદ, રથના સમારકામની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંપરા મુજબ રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે,
Rathytra 2024: ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજે 7 જુલાઈના રોજ અમદાવાદમાં શરૂ થશે. મંદિર ટ્રસ્ટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભગવાનના વાઘા, પ્રસાદ, રથના સમારકામની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંપરા મુજબ રથયાત્રા પહેલા જળયાત્રા યોજાય છે, આ વર્ષે જગન્નાથ રથયાત્રા પહેલા 22 જૂને જલયાત્રા શોભાયાત્રા સ્વરૂપે ભગવાન જગન્નાથના મંદિરેથી નીકળી સાબરમતી નદીમાં પહોંચશે. જ્યાં સોમનાથ ભુદર પાસે ગંગા પૂજન કરવામાં આવશે. ગંગા પૂજન બાદ 108 કલેશને પવિત્ર જળ મંદિરમાં લાવવામાં આવશે અને મહાજલાભિષેક દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવશે.
જલયાત્રાનો સંપૂર્ણ પ્રવાસ
સવારે 8 વાગ્યે ક્રુઝની શરૂઆત
સવારે 8:30 કલાકે ગંગા પૂજનની વિધિ થશે
સવારે 10:00 કલાકે પોડશોપચારપૂજન વિધિ
પોડશોપચારપૂજન સમારોહ પછી મહાજલાભિષેક
સવારે 11 કલાકે ભગવાન ગજવેશના દર્શન
બપોરે 12 કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થશે
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.