રાજપીપલા ખાતે જળ ઉત્સવ રન દોડનું આયોજન કરાશે
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત લોકોમાં જળ સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા તેમજ નાગરિકો સ્વયંભૂ રીતે સરકારના આવા કાર્યક્રમોમાં સહભાગીદારી સુનિશ્ચિત કરે તેવા ઉમદા આશય સાથે જળ ઉત્સવ રનનું આયોજન.
રાજપીપલા : એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત લોકોમાં જળ સંસાધનોના સંરક્ષણ પ્રત્યે જવાબદારીની ભાવના કેળવવા તેમજ નાગરિકો સ્વયંભૂ રીતે સરકારના આવા કાર્યક્રમોમાં પોતાની સહભાગીદારી સુનિશ્ચિત કરે તેવા ઉમદા આશય સાથે તા.૧૦/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૭.૩૦ કલાકે જળ ઉત્સવ રનનું આયોજન કરાયું છે. આ જળ ઉત્સવ રન શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલાથી જકાતનાકા સુધીનો રહેશે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિત નગરજનો પણ ઉત્સાહભેર જોડાશે.
ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગ દ્વારા ભારત દેશના ૨૦ જિલ્લાઓની પસંદગી થઈ છે, જેમાંથી એસ્પિરેશન જિલ્લામાં પણ તા. ૨૦ મી નવેમ્બર, ૨૦૨૪ સુધી જળ ઉત્સવ અભિયાનની ઉજવણી કરાશે. તા. ૭ મી નવેમ્બરના રોજ તેજગઢથી પ્રારંભાયેલા આ ૧૫ દિવસીય શૃંખલામાં આવતી કાલે દોડ યોજાશે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.