ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,વેરાવળ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ ૧૪ જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
નાગરિકોમાં સુરક્ષિત રક્ત અને રક્ત ઉત્પાદનોની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવા અને સ્વૈચ્છિક રક્તદાતાઓને તેમના
જીવન બચાવનાર રક્ત ભેટ માટે આભાર માનવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વિશ્વ રક્તદાતા દિવસની વૈશ્વિક થીમ દર વર્ષે બદલાય છે. આ વર્ષે રક્ત આપવાની ૨૦ વર્ષની ઉજવણી: આભાર
રક્તદાતાઓની વિષયવસ્તુને આધારે તેની ઉજવણી કરવામાં આવી રહી છે.
આગામી સમયમાં જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત આપી શકાય અને બ્લડ ટ્રાન્સફ્યૂઝન સરળતાથી કરી શકાય તે
માટેની જાગૃતિ માટે પ્રતિ વર્ષે તેની ઉજવણી કરવામાં આવે છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના બ્લડ સેન્ટર ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી
રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવી હતી.
આ અવસરે ઉપસ્થિત અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ અને પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશીએ પણ માનવતાના
આ કાર્યમાં પોતાનું યોગદાન આપતા રક્તદાન કરીને અન્ય લોકો પણ રક્તદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે પોતાનું પુણ્ય કાર્ય અદા કર્યું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.