પોલીટેકનીક કોલેજોમાં અડધી જગ્યાઓ ખાલી, ઉમેદવારો મળતા નથી, આચાર્ય વિના સંસ્થાઓ ચાલે છે
ગુજરાતમાં પોલિટેકનિક કોલેજોમાં સરકાર દ્વારા મંજૂર કરાયેલી જગ્યાઓની સંખ્યા 3,463 છે, જેમાંથી વર્ગ-1ની ખાલી જગ્યાઓની સંખ્યા 49 ટકા છે.
ગુજરાત સરકારે સોમવારે રાજ્ય વિધાનસભાને જણાવ્યું હતું કે તેને સરકારી સંચાલિત પોલિટેકનિક કોલેજોમાં વર્ગ-1ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો મળી રહ્યાં નથી. સરકારને આ પદો માટે યોગ્ય ઉમેદવારો શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલિટેકનિક કોલેજોમાં ડિસેમ્બર 2022 સુધી વર્ગ-1ની 49 ટકા જગ્યાઓ ખાલી હતી. ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સંચાલિત પોલિટેકનિક કોલેજોમાં 3,463 જગ્યાઓ મંજૂર છે.
ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, “અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદ દ્વારા સૂચવ્યા મુજબ અમે આ જગ્યાઓ ભરવા માટે એક જાહેરાત મૂકી છે. પરંતુ અમે વર્ગ-1ની પોસ્ટ માટે પીએચડી અથવા તેના સમકક્ષ ઉમેદવારો શોધી શક્યા નથી.તેમણે કહ્યું, “હવે અમે નવેસરથી આયોજન કરી રહ્યા છીએ. અમને આશા છે કે વર્ગ-2માંથી બઢતી પામેલા ઉમેદવારો સહિત અમને નવા લોકો મળશે. આ પ્રક્રિયા હાલમાં ચાલુ છે.
કોલેજોમાં 28 ટકા જગ્યાઓ ખાલી છે
વાસ્તવમાં, મંત્રીએ પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. મંત્રી દ્વારા રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે રાજ્યમાં સરકારી સંચાલિત પોલિટેકનિક કોલેજોમાં 3,463 જગ્યાઓમાંથી 28 ટકા જગ્યાઓ ખાલી છે.
મંત્રીએ જણાવ્યું કે કોલેજોમાં 984 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 720 જગ્યાઓ વર્ગ-3 માટે છે. જ્યારે વર્ગ-2ની 172 જગ્યાઓ અને વર્ગ-1ની 84 જગ્યાઓ ખાલી છે. વર્ગ-2 કેટેગરીમાં સૌથી ઓછી જગ્યાઓ ખાલી છે, જે 8 ટકા છે. વર્ગ-1માં ખાલી જગ્યાઓની સંખ્યા 49 ટકા છે. વર્ગ-3માં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે, જે 68 ટકા છે.
આચાર્યની જગ્યા પણ ખાલી છે
ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રીએ કહ્યું કે, પોલીટેકનિક કોલેજોમાં પણ આચાર્યની જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકાર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરે છે. જ્યારે વર્ગ-3 માટે ઉમેદવારોની પસંદગી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.
અમદાવાદ સ્થિત ક્યોર સાઇટ લેસર સેન્ટર (CSLC)રિફ્રેક્ટિવ લેસર સર્જરીનાં ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. CSLC વિશ્વનું એક માત્ર લેસર આય સેન્ટર છે, જે વિશ્વનાં પાંચ શ્રેષ્ઠ લેસર મશીન ધરાવે છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મંડળમાંથી ચાલતી/પસાર થતી ચાર જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરશે. જેની વિગતો નીચે મુજબ છે.
જાપાનની સેમિકન્ડક્ટર સેક્ટરની કંપનીઝ ગુજરાતમાં આવવા ઉત્સુક. ઓટોમોબાઇલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી-ગ્રીન એમોનિયા-ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુજરાત સાથે રોકાણો વધારવા અંગે પરામર્શ.