ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા ગોદરેજ એગ્રોવેટના ચેરમેન નાદિર ગોદરેજ તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ટેટ મેંગો ગ્રોવર્સ એસોસિયેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘જીવન ગૌરવ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સન્માન ભારતીય કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાનને ચિહ્નિત કરે છે.