ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ સક્રિય થવા રાજ્યપાલ અને ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અંગદાન માટે સમાજમાં વિશેષ જાગૃતિ આવે એ માટે પ્રયત્નશીલ છે. વર્તમાન સમયની આ માંગ છે વધુને વધુ લોકો અંગદાન માટે આગળ આવે એ જરૂરી છે.