ગુજરાત
3761 लेख
એસેન્ચર દ્વારા સમર્થિત ઈડીઆઈઆઈના ફ્લેગશિપ વીએક્ટ પ્રોગ્રામે ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા
એસેન્ચર દ્વારા સમર્થિત આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદના વીએક્ટ પ્રોગ્રામે સમાવેશક વિકાસ અને સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર કચેરી સાથે સમજૂતી કરાર (Mou) કર્યો છે.
અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે
ઉત્તર રેલવેના જાલંધર યાર્ડમાં એન્જિનિયરિંગના કાર્ય હેતુ બ્લોક લેવાના કારણે અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કતરા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે.
અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, હાઈકોર્ટે રાહત આપવાની ના પાડી, પણ આપ્યો આ નિર્દેશ
ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજીને ફગાવી દીધી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત વિશેની તેમની ટિપ્પણીઓ સંબંધિત ફોજદારી માનહાનિના કેસમાં બંને નેતાઓ સામે જારી સમન્સની માંગણી કરવામાં આવી હતી. વિનંતી કરવામાં આવી હતી.
ગંગેટ ગામે તીક્ષણ હથીયારના ઘા કરી આધેડ ખેડૂતની હત્યા, ગામમાં ભયનો માહોલ
ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામે હત્યાની ઘટના બનતા ચાણસ્મા સહિત પંથકમાં ચક્ચાર મચી જવા પામી છે.
જેપી નડ્ડા સહિત ભાજપના ચાર ઉમેદવારોએ ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, જીત નિશ્ચિત.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ચાર નેતાઓએ ગુરુવારે ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ગુજરાતમાંથી ભાજપના આ ચાર નેતાઓની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
હારીજના દાંતરવાડા પાસે વરાણા જઇ રહેલા પદયાત્રીઓને ટ્રકે કચડતા ત્રણના મોત પાંચ ઈજાગ્રસ્ત
હારીજ તાલુકાના દાંતરવાડા પાસે ગત મોડી રાત્રે ગંભીર અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ મહિલાઓના મોત નીપજયા છે તેમજ પાંચ લોકો ને ગંભીર ઇજાગ્રસ્ત થયા હોવાથી પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
દીપ દર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું
ખેલમહાકુંભ ૨.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ડાંગ જિલ્લાની દીપદર્શન પ્રાથમિક શાળા આહવાના વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ,દ્વિતીય અને તૃતીયક્રમે વિજેતા બન્યા હતા.અને શાળાનું નામ રોશન કર્યું હતું.
આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો
રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો.
જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા ૧૩મો ઈનોવેશન સંકુલ એવોર્ડ એનાયત કરાયો
અમદાવાદ ખાતે તારીખ 14 ફેબ્રુઆરી 2024 ના રોજ, GTU સ્થાપિત 13th ઈનોવેશન સંકુલ એવોર્ડ સમારોહ આજરોજ યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી. બળવંતસિંહ રાજપૂતના મુખ્ય મહેમાનપદે અને કુલપતિ ડો. રાજુલ કે.ગજ્જરના અધ્યક્ષપદે યોજાયો હતો.
અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ બનશે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ, જાણો તેની લંબાઈ અને કિંમત
સાબરમતી રિવરફ્રન્ટ હવે અમદાવાદને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવશે. વિશ્વભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભારતનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દેશના સૌથી મોટા શોપિંગ મોલ (લુલુ મોલ) બાદ હવે ગુજરાતનું સાબરમતી રિવરફ્રન્ટ વિશ્વનું સૌથી મોટું રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યું છે.
અમદાવાદની શાળાઓમાં હાર્ટ એટેક નિવારણ મશીન મુકાયા
હૃદયરોગનો હુમલો આવે તો હોસ્પિટલ પહોંચે તે પહેલા સારવાર મળે તે માટે અમદાવાદની ઉદગમ સ્કૂલે મશીન ખરીદીને સ્કૂલમાં રાખ્યું છે. એટલું જ નહીં પરંતુ શાળાના શિક્ષકોને પણ તાલીમ આપવામાં આવી છે.
ગણપત યુનિવર્સિટીની કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ ફેકલ્ટી દ્વારા બે દિવસીય ઈન્ટરનેશનલ હાઇબ્રિડ કૉન્ફરન્સનું આયોજન
ગણપત યુનિવર્સિટીની કૉમ્પ્યુટર એપ્લિકેશન્સ ફેકલ્ટી દ્વારા તાજેતરમાં એક ઈન્ટરનેશનલ લેવલની કૉન્ફરન્સ હાઇબ્રિડ મોડમાં યોજાઈ હતી. પાંચમી સ્પ્રિંગર ઇન્ટરનેશનલ કૉન્ફરન્સ ઑન કૉમ્પ્યુટિંગ સાયન્સ, કૉમ્યુનિકેશન એન્ડ સિક્યોરિટી - 2024 નામની આ હાઇબ્રિડ કૉન્ફરન્સમાં વિશ્વભરમાંથી 211 નિષ્ણાતો જોડાયા હતા.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી સક્રિય બને તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોટા સુકાઆંબામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત
દેડિયાપાડાના મોટા સુકાઆંબા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવા, પૂર્વ મંત્રી શ્રી મોતીભાઈ વસાવા, જિલ્લા-તાલુકાના અગ્રણીશ્રીઓ, પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં ગ્રામજનોએ માહિતી શોર્ટફિલ્મના માધ્યમથી નિહાળી હતી.
દેડિયાપાડાની સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં ઝળક્યાં
સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા ૨.૦ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એથ્લેટીક્સ સ્પર્ધામાં દોડ, કુદ અને ફેંક વિભાગ તેમજ ફૂટબોલ અને ખો - ખો જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
વાવાઝોડા કે આપત્તિના સમયે નાગરિકોને સહાયરૂપ થવા રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાન કાર્યરત
વિધાનસભા ખાતે આપત્તિ વ્યવસ્થાપનનો હવાલો ધરાવતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે, કુદરતી આપદા, વાવાઝોડા કે અન્ય આકસ્મિક સંજોગોમાં નાગરિકોને સહાયરૂપ થવા તેમજ આશ્રય મળી રહે તે માટે રાજ્યના ૧૦ જિલ્લામાં ૭૬ આશ્રયસ્થાનો કાર્યરત છે.
વડોદરાના નવા જિલ્લા કલેક્ટર તરીકે શ્રી બી. એ. શાહે પદભાર સંભાળયો
વડોદરાના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા અતુલ ગોરની મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થતાં તેમના સ્થાને નિયુક્ત પામેલા બીજલ શાહે આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે વિધિવત્ત પદભાર સંભાળી લીધો છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ટંકારા ખાતે જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મોરબીના ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ૨૦૦મા જન્મોત્સવ–સ્મરણોત્સવ કાર્યક્રમમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીની સ્મૃતિમાં સાકાર થનાર જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે AMCનાં ₹ ૧૯૫૦ કરોડનાં વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં સંબોધન કરતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની જોડીએ ગુજરાતના વિકાસને અવિરત રાખ્યો છે. ગુજરાતથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી.
અંબાજી ખાતે પંચ દિવસીય શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪નો ધર્મમય માહોલમાં પ્રારંભ
એક જન્મમાં એક સ્થળે ૫૧ શક્તિપીઠના દર્શનનો લ્હાવો અને પરિક્રમાના અવસરનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો મનોરથ આજે સાકાર થયો છે એમ જણાવતાં બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ધર્મમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો.