ગુજરાત
3565 लेख
ડીઝલની અછતથી નાના રણના અગરિયા સમુદાયમાં ભય, ₹250 કરોડના નુકસાનની આશંકા
ડીઝલની અછતને કારણે નાના રણના અગરિયા સમુદાય સામે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે દાવો કર્યો કે મીઠા ઉદ્યોગને ₹250 કરોડથી વધુ નુકસાન થઈ શકે છે.
IIT ગાંધીનગરમાં ‘કમ ફોલ ઇન લવ વિથ મેથ’ વર્કશોપ યોજાયો
IIT ગાંધીનગરમાં યોજાયેલા વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનને નવી રીતે સમજવાનો અનુભવ મેળવ્યો.
ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડનો સપાટો: ઊંઝાની ફેક્ટરીમાંથી વરિયાળી અને ૧૪૦ કિગ્રા પ્રતિબંધિત લીલો રંગ પકડાયો
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ખોરાક - ઔષધ નિયમન તંત્ર (ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની 'ઝીરો ટોલરન્સ' નીતિ હેઠળ જનઆરોગ્ય સાથે ચેડાં કરતી "મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી" પર રેડ પાડી ૩,૫૪૮ કિલોગ્રામ કલર ભેળવેલી વરિયાળી અને ૧૪૦ કિલોગ્રામ પ્રતિબંધિત લીલો રંગ જપ્ત કરાયો છે.
ગાંધીનગરમાં પાંચ દિવસીય રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન
ગાંધીનગર સ્થિત IITE ખાતે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ, CoE-LAM DISRA અને ASCI હૈદરાબાદના સંયુક્ત ઉપક્રમે "જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી" વિષય પર પાંચ દિવસીય રાજ્ય કક્ષાનો તાલીમ કાર્યક્રમ સંપન્ન થયો છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ કાનૂની ચોકસાઈ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વહીવટી વિલંબ ઘટાડવા પર ભાર મૂક્યો હતો.
વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં આરોગ્ય જાગૃતિ અભિયાન
નર્મદા જિલ્લામાં વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય જાગૃતિ અને તપાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપીપલા સ્થિત કલેક્ટર કચેરી સહિત વિવિધ સરકારી ઓફિસો અને જાહેર સ્થળોએ યોજાયેલા આ કેમ્પમાં અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોના બ્લડ પ્રેશર (BP) તથા બ્લડ શુગરની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી.
સાબરકાંઠામાં ત્રાટકી ફ્લાઈંગ સ્કોડ: તલોદની ભોલેનાથ ડેરી પર દરોડા, ૨,૫૪૮ કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત
ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ દ્વારા સાબરકાંઠાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી 'ભોલેનાથ ડેરી' પર ઓચંતી તપાસ હાથ ધરીને ૨,૫૪૮ કિલોગ્રામ ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે રૂ. ૫.૧૦ લાખ છે.
અમદાવાદ-ધોલેરા વચ્ચે દેશનો પ્રથમ સેમી-હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ મંજૂર
કેન્દ્ર સરકારે અમદાવાદ (સરખેજ) થી ધોલેરા વચ્ચે ₹20,667 કરોડના ખર્ચે સેમી-હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. વધુ વિગત માટે ક્લિક કરો.
IAS અધિકારીઓની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત
ગુજરાત કેડરના 2025 બેચના પ્રોબેશનરી IAS અધિકારીઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. રાજ્યપાલશ્રીએ જમીન સ્તરે જઈને કામ કરવા માર્ગદર્શન આપ્યું. વધુ વિગત માટે ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે: મંત્રી પ્રફુલ પાનસેરીયાએ નર્સોને બિરદાવ્યા
ગાંધીનગર સિવિલમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે ની ઉજવણી કરાઈ. મંત્રી પ્રફુલ પાનસેરીયાએ નર્સિંગ વ્યવસાયને 'નિષ્કામ કર્મયોગ' ગણાવ્યો. વધુ વિગત માટે ક્લિક કરો
પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે ઈ—કેવાયસી હવે ફરજિયાત બનશે
પીએમ કિસાન યોજનાના હપ્તા માટે ઈ—કેવાયસી કરાવવું હવે દરેક ખેડૂત માટે ફરજિયાત છે. જૂન 2026 સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. વધુ વિગત માટે ક્લિક કરો.
એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026 નો ગાંધીનગરમાં ભવ્ય પ્રારંભ
એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2026 માં 29 દેશોના 400 ખેલાડીઓ ગાંધીનગર આવ્યા છે. રમતગમત મંત્રીએ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો. વધુ વિગત માટે ક્લિક કરો.
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમિકો માટે નવી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યો અંગે ગાંધીનગરમાં બેઠક યોજાઈ. વધુ વિગત માટે ક્લિક કરો.
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ઇંધણ બચત અને સાદગી માટે પોતાની પાયલોટિંગ કારની સુરક્ષા સ્વેચ્છાએ છોડી.
ઇંધણ બચત માટે મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પાયલોટિંગ કારનો ત્યાગ કર્યો છે. રાષ્ટ્રહિતમાં લીધેલા આ નિર્ણયની ચર્ચાઓ તેજ થઈ છે. વધુ વિગત માટે ક્લિક કરો.
મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ હેઠળ અમદાવાદમાં 50 લાખ વૃક્ષો વવાશે
મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ હેઠળ AMC 100 દિવસમાં 50 લાખ વૃક્ષો વાવશે. પર્યાવરણ જાળવણી માટે જનભાગીદારી વધારવા આયોજન કરાયું છે. વધુ વિગત માટે ક્લિક કરો.
ડિજિટલ એરેસ્ટ કૌભાંડ: હરિયાણાની ગેંગે મહિલા સાથે કરી 55 લાખની છેતરપિંડી
હરિયાણામાં ડિજિટલ એરેસ્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ગુનેગારોએ એક મહિલાને ડરાવીને 55 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે તપાસ હાથ ધરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
રાજુલા નજીક પેટ્રોલ-ડીઝલના ટેન્કરમાં ભીષણ આગ: ભાવનગર-સોમનાથ હાઇવે ૨ કલાક સુધી બંધ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક છતડીયા અને ભેરાઈ ગામ વચ્ચે ઈંધણ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પીપાવાવથી ૧૯,૦૦૦ લીટર ડીઝલ અને ૫,૦૦૦ લીટર પેટ્રોલ ભરી બગસરા જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકતા હાઇવે પર ૨ કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
સોમનાથ અમૃત મહોત્સવમાં પીએમ મોદીનું નિવેદન: ભારત હવે દબાણ સામે ઝૂકશે નહીં
પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો. 1998ના પરમાણુ પરીક્ષણ અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઉલ્લેખ કરી રાષ્ટ્રીય ગૌરવ પર ભાર મૂક્યો. વધુ વિગત માટે ક્લિક કરો.
પીએમ મોદીની વડોદરામાં ‘વોકલ ફોર લોકલ’ની અપીલ, વિદેશી પ્રવાસ ટાળવા વિનંતી
પીએમ મોદીએ વડોદરામાં સરદારધામ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ એશિયા યુદ્ધ સંકટ વચ્ચે વિદેશી વસ્તુઓનો વપરાશ ઘટાડવા અને સ્થાનિકને પ્રોત્સાહન આપવા હાકલ કરી.
સોમનાથ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ: ભારતની સ્વતંત્ર ભાવનાની જીત - નરેન્દ્ર મોદી
પીએમ મોદીએ સોમનાથ મંદિરના ૭૫ વર્ષના ઈતિહાસ અને તેના પર થયેલા આક્રમણોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શારીરિક બાંધકામને નષ્ટ કરી શકાય છે પણ રાષ્ટ્રના આત્મા અને આસ્થાને નહીં. આ કાર્યક્રમ સોમનાથ મંદિરના આધુનિક અવતારના અભિષેકની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથની મુલાકાતે: હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથની મુલાકાતે પધારશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.