ઇન્ડિયા
11823 लेख
વડોદરા જિલ્લાના ગામોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન થકી સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
જિલ્લાના તાલુકાનાં ગામોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સખી મંડળની બહેનો/ગ્રામજનો/મહાનુભાવો વગેરે દ્વારા સ્વચ્છતા હી સેવા ૨૦૨૩ અંતર્ગત શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કારની એરબેગ ન ખૂલી, અકસ્માતમાં પુત્રનું મોત, પિતાએ આનંદ મહિન્દ્રા સહિત 14 લોકો સામે ગુનો દાખલ કર્યો
કાનપુરના એક વ્યક્તિએ તેના પુત્રનું અકસ્માતમાં મૃત્યુ થયા બાદ આનંદ મહિન્દ્રા સહિત 14 લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો કે તેણે તેના પુત્રને જે સ્કોર્પિયો કાર ગિફ્ટ કરી હતી તેમાં એરબેગ્સ લગાવેલી ન હતી. જેથી તેમના પુત્રનું અકસ્માતમાં મોત થયું હતું.
રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૧૩ સપ્ટેમ્બર- ૨૦૨૩થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર ચેક-અપ કરવામાં આવશે જે અન્વયે બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી ચેક-અપ માટે આશીર્વાદ ફાઉન્ડેશનમાં બોલાવવામાં આવશે.
જે રીતે કોંગ્રેસે 5 વર્ષ સુધી સરકાર ચલાવી, તે 0 નંબરની હકદાર છે: પીએમ મોદી જયપુરમાં ગર્જ્યા
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે જે રીતે 5 વર્ષ સરકાર ચલાવી છે, તે 0 નંબર મેળવવાની હકદાર છે.
આણંદ ખાતે “ભારત ટુ અમેરીકા એક્સપોર્ટ” કાર્યક્રમ યોજાયો
આણંદના બોરીઆવી સ્થિત વૃન્દાવન કોલ્ડ સ્ટોરેજ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરીના સંકલનમાં વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર્સ કોપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાના અધ્યક્ષસ્થાને “ભારત ટુ અમેરીકા એક્સપોર્ટ” અને પ્રાકૃતિક ખેતી તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંકલાવ તાલુકાના ગંભીરા સ્થિત સરદાર પટેલ ન્યુટ્રિ સ્માર્ટ સ્કૂલ ખાતે પોષણ માસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેના થકી લોકોને જીવનમાં પોષણનું મહત્વ સમજાવી પોષણ વિશે જાગૃત કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આંકલાવ તાલુકાના ગંભીરા સ્થિત સરદાર પટેલ ન્યુટ્રિ સ્માર્ટ સ્કૂલ ખાતે ન્યુટ્રિશન ઈન્ટરનેશન, શાળા સંચાલન મંડળ, આઈ.સી.ડી.એસ. તથા આરોગ્ય વિભાગના સહયોગથી પોષણ કાર્યક્રમ યોજાયો હતો.
આણંદ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળતાં શ્રી પ્રવીણ ચૌધરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૧૪ ની બેચના આઈ.એ.એસ. શ્રી પ્રવીણ ચૌધરીની આણંદ જિલ્લા કલેકટર તરીકે બદલી થતાં તેમણે જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો છે.
સંત નિરંકારી મંડળ દ્વારા વિશેષ રક્ત દાન શિબિર અને સત્સંગ નું આયોજન ‘ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગ થી ૧૪૩ યુનિટ એકત્ર કરાયું’
સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ ના આશીર્વાદ થી સંત નિરંકારી મંડળ દ્વારા આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ બ્રાંચ, રામદેવનગર કેમ્પસ ખાતે રવિવાર તારીખ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ એક રક્ત દાન શિબિરનું આયોજન કરી ૧૪૩ યુનિટ એકત્ર કરી ને માનવ કલ્યાણ હેતુ એકત્ર કરીને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને આપવામાં આવ્યું હતું.
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ડૉ.દેશમુખની ઉપસ્થિતિમાં સિસોદ્રા ગામે રાહત સામગ્રીનું વિતરણ કરાયું
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભાના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સહયોગથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીરી ભુપેન્દ્ર પટેલ
માળખાકીય વિકાસ થકી નવા સીમાચિહ્નો સ્થાપવામાં ગુજરાત સદા અગ્રેસર, ગુજરાતમાં માળખાકીય વિકાસ માટે બજેટમાં માર્ગ મકાન વિભાગને ૨૦,૬૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી, આ ઓવરબ્રિજ દ્વારા રાજકોટ,જામનગર, મોરબીના મુસાફરો અને ઓદ્યોગિક વાહનોને આવનજાવનમાં સુગમતા રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે આવતા ગાંધી જયંતિ,ગુરૂનાનક જયંતિ અને નાતાલમાં પ્રવાસીઓ માટે ચાલુ રહેશે
તા.૩ ઓક્ટોબર, તા.૨૮ નવેમ્બર અને તા.૨૬ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે જેની નોંધ લેવી.
જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં નર્મદા પોલીસ પુત્ર અને પુત્રી પ્રથમ ક્રમે વિજેતા બની ગૌરવ વધાર્યું
નર્મદા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તાહિર વ્હોરાનાં બંને સંતાનોએ રમતગમત ક્ષેત્રે અવ્વલ આવી જિલ્લા અને પોલીસ પરિવારનું નામ રોશન કર્યું.
ડેડીયાપાડાના કણબીપીઠા ગામે બનાવેલ પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ
લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ દીવાલ વરસાદના પગલે ધોવાણ થઈ જતા બાજુમાં આવેલ વિધવા મહિલાના મકાનને જોખમ વધ્યું, લોક ચર્ચા મુજબ આ પ્રોટેક્શન દીવાલ તલાટી દ્વારા જાતેજ બનાવાઇ હતી તો શું તલાટી પાસે સિવિલ એન્જીનીયરની ડીગ્રી છે ખરી?
વાઘપરા ગામમાં પરણીતાએ સાસરિયાંનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાંનાં ત્રાસથી પરણીતાએ પોતના પિયર વાઘપરા ગામમાં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
ઝગડીયા તાલુકાના પૂર અસરગ્રસ્તોની વ્હારે આવી ભરૂચ જિલ્લાની ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા
મુસ્કાન વસાવાએ પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું.
રાજપીપળા સોનીવાડમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે ઈકો ફ્રેન્ડલી ગણપતિ જોવા ભક્તોની ભીડ
રાજપીપળા સોનીવાડ શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા સતત ૩૨ વર્ષથી ગણપતિ સ્થાપના,આ ૩3મું વર્ષ, - આ મંડળ છેલ્લા દસ વર્ષથી માટીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે અને અન્ય લોકોને પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા લાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે ₹5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, રાજ્યના વિદ્યાર્થીઓ માટે ₹1426 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ્સ અને અન્ય સુવિધાઓ, ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવશે.
યુનિટેક ગ્રુપ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, ₹125.06 કરોડની જમીન જપ્ત
Unitech Group Fraud Case: ફ્લેટ ખરીદનારાઓએ આરોપીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસ અને સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને કાર્યવાહી કરી હતી.
પંજાબ: ગેંગસ્ટરો સામે મોટી કાર્યવાહી, લખબીર સિંહ અને તેના સહયોગીઓના 48 સ્થળો પર દરોડા
પંજાબના ફિરોઝપુરમાં ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા અને તેના સહયોગીઓના 48 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીને ગેંગસ્ટરો સામે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ દરોડામાં કેટલીક મોટી માહિતી મળી શકે છે.