ઇન્ડિયા
11823 लेख
વરસાદી પાણીની સમસ્યાના નિરાકરણ માટે જામનગર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મંજૂર
જામનગર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, જે સમુદાયના વરસાદી પાણીના પ્રશ્નો માટે રાહત આપે છે. આ પ્રોજેક્ટમાં 600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે અને તેમાં નદીની સફાઈ અને વિસ્તરણ, બંને કિનારે આરસીસી પ્રોટેક્શન વોલનું નિર્માણ અને વિસ્તારને પ્રવાસી આકર્ષણ તરીકે વિકસાવવાનો સમાવેશ થશે.
અમદાવાદમાં વેપારીના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: બે શકમંદો કસ્ટડીમાં
અમદાવાદના વેજલપુરમાં એક વેપારીના નિવાસસ્થાને થયેલી ઘરફોડ ચોરીનો કેસ સફળતાપૂર્વક ઉકેલવામાં આવ્યો છે, જેના પરિણામે બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે.
PM મોદીએ વાઈબ્રન્ટ સમિટ ઈવેન્ટમાં વિપક્ષ પર કર્યો પ્રહાર, કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલી સમિટ ઑફ સક્સેસ ઇવેન્ટમાં ગોધરાકાંડને લઈને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઘણા લોકો ગુજરાત વિશે ખોટી માહિતી ફેલાવે છે અને તેની વિરુદ્ધ ઝુંબેશ ચલાવે છે.
મુખર્જી નગરના ગર્લ્સ પીજીમાં મોટી આગ ફાટી નીકળી, તમામ છોકરીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી; 20 ફાયર એન્જિન હાજર
Fire : આ આગ ગર્લ્સ પીજીમાં લાગી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 20 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. કહેવામાં આવ્યું છે કે બિલ્ડિંગમાં ફસાયેલી તમામ 35 છોકરીઓને બહાર કાઢવામાં આવી છે.
ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી મહારાષ્ટ્રના ખેડૂતોને રડાવી રહી છે, સરકાર પાસે કરી આ ત્રણ માંગ
Onion Export Duty: બજારમાં ડુંગળીની આવક પણ સારી છે અને સામાન્ય માણસ પણ છૂટક બજારમાં ભાવથી પરેશાન નથી. ડુંગળીના ખેડૂતો અને વેપારીઓ આ સમસ્યામાંથી કેવી રીતે બહાર નીકળે તે અંગે ચિંતિત છે.
ગણપતિ વિસર્જનને લઈને મુંબઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો, 16000 જવાનો તૈનાત, 7000 CCTV કેમેરાથી થશે મોનિટરિંગ
મુંબઈમાં ગણેશ વિસર્જન: ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો તહેવાર પણ ગુરુવારે (28 સપ્ટેમ્બર) છે. ગણપતિ વિસર્જનને ધ્યાનમાં રાખીને મુસ્લિમ સમુદાયે તેના સરઘસ કાઢવાની તારીખ એક દિવસ લંબાવી હતી.
PM મોદી વિધાનસભા ચૂંટણીને લઈને એક્શન મોડમાં, તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ઘણી ચૂંટણી રેલીઓ કરશે
તેલંગાણા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોરદાર રેલીઓ કરવા જઈ રહ્યા છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા માટે આગામી સપ્તાહે 1 ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે.
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા. ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ, આગામી તહેવારોને અનુલક્ષીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રનું આગોતરું આયોજન.
લેનોવો પર ટેક્સ ચોરીનો આરોપ, IT ટીમે બેંગલુરુ, મુંબઈ અને ગુરુગ્રામમાં ઓફિસની સર્ચ કરી
કંપનીએ કહ્યું કે અમે જે અધિકારક્ષેત્રોમાં વ્યવસાય કરીએ છીએ ત્યાં તમામ લાગુ કાયદાઓ, નિયમો અને રિપોર્ટિંગ આવશ્યકતાઓનું અમે કડકપણે પાલન કરીએ છીએ.
શ્રીલંકા પર્યટનનું આકર્ષક સૌંદર્ય તમને ફરીથી અહીં ખેંચી લાવશે
શ્રીલંકા વિશ્વના સૌથી આકર્ષક પર્યટક સ્થળો પૈકીનું એક છે. શ્રીલંકા ટુરિઝમ દેશના આ વિશાળ ટ્રાવેલ માર્કેટને આંતરરાષ્ટ્રીય મંચ ઉપલબ્ધ બનાવે છે. ભારતમાંથી આવતા પર્યટકોને આકર્ષવાના પોતાના પ્રયાસોને વ્યાપક પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકા ટૂરિઝમ દ્વારા અમદાવાદ, કોલકાતા અને પૂણે જેવા અગ્રણી શહેરોમાં શ્રીલંકા ટૂરિઝમ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી કુલ રૂ.૫૨૦૬ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં ૨૫ હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજોનું નિર્માણ કર્યું: વડાપ્રધાનશ્રી
ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરી દ્વારા કોલેજોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ નાટકોનું આયોજન
સરકારી વિજ્ઞાન કોલેજ અને મહિલા કોલેજમાં નાટક દ્વારા શ્રમદાનનું મહત્વ,ભીનો-સુકો કચરો અને રિસાઈકલિંગનું મહત્વ સમજાવ્યું, વિદ્યાર્થીઓએ કચરો ન કરવા અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા લીધો સંકલ્પ.
દીકરી દિવસ નિમિત્તે આણંદ ખાતે આણંદ પોલીસની “સી” ટીમ દ્વારા દીકરીઓને સલામતી અને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું
સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તૈયાર કરાયેલી મહિલા પોલીસની "સી" ટીમ દ્વારા મહિલાઓને અને તેમાંય ખાસ કરીને શાળા કોલેજમાં ભણતી દીકરીઓને જાતીય સલામતી અને સુરક્ષા અંગેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેથી તેઓ પોતાની સલામતી અને સ્વસુરક્ષા અંગે વધુ સજાગ અને જાગરૂક બની રહ્યા છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં પણ દીકરી દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની "સી" ટીમ દ્વારા મહિલા સલામતી અને સુરક્ષા અંગે દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પોઇચા નીલકંઠ ધામ ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના દક્ષિણ ઝોન નું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું
નર્મદા જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી નર્મદાના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં સૌપ્રથમ ઝોન વાઈઝ, દક્ષિણ ઝોનનુ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને નાંદોદ તાલુકાના પોઇચા ખાતે નીલકંઠ ધામ માં યોજાઈ ગયું.
વડોદરા જિલ્લામાં ૨જી ઓક્ટોબર થી તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન
ગ્રામ વિકાસ, આરોગ્ય તથા મહિલા અને બાળવિકાસને લગતી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.
વડોદરાની કરુણા એમ્બ્યુલન્સે રાષ્ટ્રીય પક્ષી મોરનો જીવ બચાવ્યો
રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી કરુણા એમ્બ્યુલન્સ વડોદરા શહેર વિસ્તારમાં અબોલ પશુ-પક્ષીઓની સારવાર માટે હંમેશા કાર્યરત રહે છે. કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં ૪૩,૫૮૩ થી વધારે પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.
મંજુસરની શ્રી ગુરુ મુકુટરામજી વિદ્યામંદિર ખાતે ૨૦ મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
સાવલી તાલુકાના મંજુસરની સરકારી માધ્યમિક શાળા શ્રી ગુરુ મુકુટરામજી વિદ્યામંદિર ખાતે ડો.વિક્રમભાઈ સારાભાઇ શાળા વિકાસ સંકુલ-૧ નું ૨૦ મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં ૫૧ શાળાઓ દ્વારા કુલ પાંચ વિભાગોમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનની ૫૮ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
નર્મદા ડેમમાંથી પાણી છોડતા થયેલ નુકશાનનું ૧૦૦ ટકા વળતર ચૂકવવા નર્મદા પુર અસરગ્રસ્તોનું કલેકટરને આવેદન
ખેડૂતોએ ભારે આક્રોશ સાથે સો ટકા રાહત પેકેજની માંગણી કરી નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત હોવાનું જણાવ્યું હતું.
અરવિંદ સ્માર્ટસ્પેસીસે અરવિંદ અપલેન્ડ્સ 2.0, અદ્રોડાનું પ્રી-લોન્ચ કર્યું
અરવિંદ સ્માર્ટસ્પેસીસે ગોલ્ફ થીમ આધારિત પ્લોટેડ ડેવલપમેન્ટ અરવિંદ અપલેન્ડ્સ 2.0 પ્રી-લોન્ચ કર્યું, જે દક્ષિણ અમદાવાદના અદ્રોડા ખાતે સ્થિત છે, માત્ર 3 જ દિવસમાં રૂ. 300 કરોડથી વધુની બુકિંગ વેલ્યુ સાથે લગભગ 4 મિલિયન ચોરસ ફૂટની સમગ્ર પહેલા તબક્કાની ઇન્વેન્ટરીનું વેચાણ કર્યુ.
આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન ઉપર તારીખ 30 સપ્ટેમ્બર થી 01 ઓક્ટોબર 2023 સુધી યાર્ડ રીમોડલીંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ્દ રહેશે.