ઇન્ડિયા
11583 लेख
ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો મામલો, બેકાબૂ કારે અનેક લોકોને કચડી નાખ્યા; 4 લોકોના મોત
ગાંધીનગરમાં એક કારે અનેક લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
DRDO મોટી સિદ્ધિ હાંસલ કરી, ડ્રોનથી છોડવામાં આવેલી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
DRDO એ ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતા એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. DRDO એ ડ્રોનથી છોડવામાં આવેલી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી ભારે તબાહી, ૧૩ લોકોના મોત
બાંકુરા અને પૂર્વ બર્ધમાનમાં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત થયાના અહેવાલ છે. બાંકુરા જિલ્લામાં ૮ લોકોના મોત થયા છે જ્યારે પૂર્વ બર્ધમાનમાં ૫ લોકોના મોત થયાના અહેવાલ છે.
MNM વડા કમલ હાસન દિલ્હી પહોંચ્યા, કાલે રાજ્યસભા સાંસદ તરીકે શપથ લેશે
અભિનેતામાંથી રાજકારણી બનેલા મક્કલ નિધિ મય્યમ (MNM) વડા કમલ હાસન દિલ્હી પહોંચ્યા છે. આવતીકાલે એટલે કે શુક્રવારે તેઓ રાજ્યસભા સાંસદ તરીકે શપથ લેશે. આ સાથે, હાસન સત્તાવાર રીતે DMKમાં જોડાયા છે.
રાજપીપળા વન વિભાગના સહયોગથી નર્મદા જિલ્લાની સ્થાનિક મહિલાઓ દેશી શાકભાજીનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા
રીંગણ, ચોળી, ભીંડા, કારેલા, કંકોડા અને મકાઈનું વેચાણ કરી રોજગારી મેળવતી આમલી ગામની સ્થાનિક મહિલાઓ. શાકભાજીના વેચાણમાંથી ઘર-પરિવાર તેમજ બાળકોને ભણાવવાના ખર્ચા માટેની આવક મળી રહે છે : શ્રીમતી મિનાક્ષીબેન વસાવા.
આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે
આગામી વિવિધ તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે :- અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે કચ્છમાં કરોડોના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવા ઉપસ્થિત રહેશે
પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરવામાં આવશે.
રાજ્યમાં સર્વગ્રાહી શિક્ષણ મુલ્યાંકન માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીનો અહેવાલ મુખ્યમંત્રીને અર્પણ કરાયો
રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં ૩૬૦ ડીગ્રી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીએ પોતાના તારણોનો ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો હતો.
ગુજરાત ATS એ 4 અલ-કાયદા આતંકવાદીઓની ધરપકડ કરી, મોટા હુમલાની જવાબદારી સોંપવાની હતી
ગુજરાત ATS એ અલ-કાયદાના AQIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં, ગુજરાત ATS એ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું
RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી.
દેડિયાપાડા-ચીકદા માર્ગ ખાતે રોડ મરામતની કામગીરી પૂર્ણ કરાઈ
વરસાદના કારણે નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ માર્ગોને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્વરિત અને અસરકારક માર્ગ મરામત કામગીરી કરવા માર્ગ મકાન વિભાગના ઇજનેરોને સ્થળ પર મુલાકાત લઇને ત્વરિત પગલા લેવા અને પેચવર્ક કરવા તાકિદ કરાઇ હતી.
ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૨૫ જિલ્લાના ૯૦ તાલુકાઓમાં વરસાદ
નવસારીના જલાલપોર તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૫૮.૧૯ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૬૦ ટકા કરતાં વધુ ભરાયા.
ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી....!!!
ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
નકલી દેશ, નકલી ધ્વજ, નેતાઓ સાથેના નકલી ફોટા... 4 દેશોના દૂતાવાસના એકમાત્ર રાજદૂત, હર્ષવર્ધન જૈનની કહાની
હર્ષવર્ધન જૈનની યુપીના ગાઝિયાબાદમાં STF ટીમે ધરપકડ કરી છે. આ વ્યક્તિએ એક બંગલો ભાડે લીધો હતો અને તેમાં 4 નકલી દેશોના દૂતાવાસ ખોલ્યા હતા.
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આગ લાગી
એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગવાની ઘટના દિલ્હી એરપોર્ટ પર બની છે. આ વિમાન હોંગકોંગથી દિલ્હી લેન્ડિંગ કર્યું હતું. એર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગ પછી તરત જ આગ લાગી હતી.
એર ઇન્ડિયાએ બોઇંગ વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ પૂર્ણ કરી, કંપનીએ આ મહત્વપૂર્ણ માહિતી શેર કરી
AAIB ના પ્રારંભિક અહેવાલ બાદ, નાગરિક ઉડ્ડયન સલામતી નિયમનકાર DGCA એ એર ઇન્ડિયાને 21 જુલાઈ સુધીમાં તેના કાફલામાં બોઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની લોકીંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ૪ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા દ્વારા ૭૭મો સ્થાપના દિવસ ઉજવાયો
ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન, રાજપીપળા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા સંસ્થાએ પોતાની ૭૭ મી વર્ષગાંઠ નિમિત્તે યાદગાર સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.
અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે
ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તથા ટ્રેક્ટર-યાંત્રિક સાધનો માટેની યોજના હેઠળ ધિરાણ અપાશે.
‘ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ને ગુજરાતમાં જ્વલંત સફળતા
રાજ્યમાં માત્ર ૧૫ દિવસમાં ૨૧ જિલ્લાના ૧.૧૦ લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ ૨૨ યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો:આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડિંડોર.