કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૧,૧૮,૯૪૬ લાભાર્થીઓને રૂ. ૧૦૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ છે. જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૯,૫૬૪ લાભાર્થીઓને રૂ.૩૫.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫,૫૫૬ લાભાર્થીઓને રૂ. ૫૬.૭૪ કરોડની સહાય ચુકવાઈ છે.