એર ઈન્ડિયા 21 રૂટ પર એઆઈએક્સ કનેક્ટ દ્વારા સંચાલિત દરરોજની 100થી વધુ ફ્લાઈટ્સમાં તેનો 'AI' ડિઝિનેટર કોડ ઉમેરશે. કોડશેર કરાર હેઠળ ધીમે ધીમે વધારાના રૂટ ઉમેરવામાં આવશે. કોડશેર ફ્લાઈટ માટેના બુકિંગ તેના વેચાણના તમામ પોઈન્ટ પરથી 27 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવશે. કોડશેરના અમલથી એર ઈન્ડિયાના ગ્રાહકો એર ઈન્ડિયાના સ્થાનિક અને ઈન્ટરનેશનલ નેટવર્કના 80 પોઈન્ટસ પરથી AIX કનેક્ટના રૂટ નેટવર્ક સાથે સરળતાથી જોડાઈ શકશે.