મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

મશહૂર જેમિની સર્કસના સ્થાપક શંકરનનું નિધન

સિંહ, હાથી, જોકરો, હવામાં અદ્ભુત સ્ટંટ અને જબરજસ્ત સ્ટંટ કરતા કલાકારો.અમે બોલિવૂડની ફિલ્મની વાત નથી કરી રહ્યા, અમે સર્કસની વાત કરી રહ્યા છીએ, આવો વધુ જાણીએ....

મશહૂર  જેમિની સર્કસના સ્થાપક શંકરનનું નિધન

સિંહ, ઘોડા, હાથી, જોકરો, હવામાં અદ્ભુત સ્ટંટની સાથે જબરજસ્ત હેરતઅંગેજ સ્ટંટ કરતા કલાકારો. તમને બોલિવૂડની ફિલ્મની નહીં પરંતુ સર્કસની વાત કરી રહ્યા છીએ.શહેરોની દીવાલો પર ચોંટાડવામાં આવતા સર્કસના પોસ્ટરો અને રોજના ત્રણથી ચાર શો પ્રેક્ષકોને ખુબજ આકર્ષિત કરતા. 80 અને 90 ના દાયકામાં જન્મેલા લોકો માટે તો સર્કસ એક મોટું મનોરંજન હતું.

ત્યારે તો સર્કસની વાત હોય અને જેમિની સર્કસનું નામ ન આવે, એવું ન થઈ શકે. આ સર્કસ સાથે તો કેટલા લોકોની યાદો છે, ન જાણે કેટલા લોકોના બાળપણની યાદો જોડાયેલી છે. લોકોને મનોરંજનનો પૂરો ડોઝ આપનાર જેમિની સર્કસના સ્થાપક જેમિની શંકરનનું રવિવારે રાત્રે નિધન થયું હતું. તેમની ઉમર 99 વર્ષ હતી. તેમને વૃદ્ધાવસ્થા સંબંધિત ઘણી બીમારીઓ હતી. જેના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

શંકરનનો જન્મ 1924માં થયો હતો. તેણે પ્રખ્યાત સર્કસ કલાકાર કીલેરી કુન્હીકન્નન પાસેથી ત્રણ વર્ષની તાલીમ લીધી. આજીવિકા માટે તેણે પોતાના વિસ્તારમાં કરિયાણાની દુકાન પણ ખોલી હતી, પરંતુ ભારે નુકસાનનો સામનો કર્યા બાદ તેણે દુકાન બંધ કરવી પડી હતી. બાદમાં તે સેનામાં જોડાયો. બીજા વિશ્વ યુદ્ધના અંત પછી તેઓ નિવૃત્ત થયા.

દેશના વિવિધ સર્કસ જૂથો સાથે કામ કર્યા પછી, તેમણે 1951માં વિજયા સર્કસ કંપની ખરીદી અને તેનું નામ બદલીને જેમિની સર્કસ રાખ્યું. બાદમાં તેણે પોતાની બીજી કંપની જમ્બો સર્કસ શરૂ કરી. શંકરનના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. દેશમાં સર્કસ ક્ષેત્રે સંકરણના યોગદાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

fashion

સંબંધિત સમાચાર

travel