ગુજરાત
3761 लेख
હવે આયુષ્યમાન કાર્ડ બનાવવું બન્યું સરળ
CSC, E-Gram, N-Code એજન્સીના તાલુકા કિઓસ્ક પરથી બનતુ કાર્ડ હવેથી કોઈ પણ લાભાર્થી અને પરિવારના સભ્યોનું BIS એપ્લીકેશન ૨.૦ નવું વર્ઝન પરથી આયુષ્યમાન કાર્ડ ઘરે બેઠા બનાવી શકશે.
‘સ્વચ્છતા હી સેવા’: પ્લાસ્ટિક મુક્ત ગામડા બનાવવા માટે કચ્છી મહિલાની ઝુંબેશ
વપરાયેલા પ્લાસ્ટિકમાંથી ટ્રેન્ડી ઉત્પાદો બનાવીને વાર્ષિક ₹15 લાખનું ટર્નઓવર, ગામડાની 60 મહિલાઓને રોજગાર, ઓનલાઇન વેચાણથી ઉત્પાદો વિદેશની બજારોમાં પહોંચ્યા. રાજ્ય સરકાર દ્વારા ફંડિગ અને માર્કેટિંગ સહયોગથી રાજ્યની મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર.
વડોદરા ડિવિઝનના ડભોઇ અને પ્રતાપનગર રેલવે સ્ટેશન પર "સ્ટેશન મહોત્સવ"નું આયોજન
ભારતીય રેલવે દ્વારા રેલવે સ્ટેશનોના ઇતિહાસની ઝલક આપવા અને સ્થાનિક લોક સંસ્કૃતિ, સ્વચ્છતા ,જનજાગૃતિ અને તેમની ભાગીદારી દર્શાવવા માટે "સ્ટેશન મહોત્સવ" યોજના શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનને મળ્યો વ્યાપક જન પ્રતિસાદ
સફાઈ અભિયાનામાં ૨૫,૩૦૭ સફાઈ કામદારો અને ૩૩,૫૫૨ જેટલા નાગરિકોએ મળીને કુલ ૧૧૨૦ ટન જેટલો કચરો એકઠો કર્યો. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો સહિત વિવિધ સંસ્થાઓ પણ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર જોડાઈ.
રાજ્યની ૩મપાને શહેરી સડક અને આંતરમાળખાકીય સુવિધા વિકાસના કામો માટે ૧,૬૪૬ કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વડોદરાને ૨૦૨૧ થી અત્યાર સુધી રૂ. ૧,૦૦૮ કરોડ - સુરતને રૂ. ૨,૬૮૯ કરોડ અને જામનગરને રૂ. ૩૮૫ કરોડ વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા.
એનએસએસ યુનિટ, એસ.વી.આઇ.ટી, વાસદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
સેવાના આ ભગીરથ કાર્યમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાંથી મનુભાઈ વાઘેલા,તુષાર પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રક્તદાન કોણ કરી શકે?, ક્યારે કરી શકીએ?, રક્તદાન કેમ કરવું જોઈએ, સુરક્ષિત રક્તદાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના માધ્યમથી કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
સ્તન તથા ગર્ભાશય કેન્સરની વિકરતી જતી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોનું ચેકઅપ કરવામાં આવ્યું અને જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા.
રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશન દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા સહયોગ કર્યો
એક હરિયાળી પહેલ કરતાં રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશ દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા માટે સહયોગ કર્યો છે. 28 સપ્ટેમ્બરે રજૂ કરાયેલી આ પહેલ બાર્કવિલે ફાઉન્ડેશનની દેખરેખ હેઠળ પ્રાણીઓ માટે સુરક્ષિત અને અનુકૂળ માહોલ પ્રદાન કરવાની રત્નાકર ગ્રૂપની કટીબદ્ધતાને દર્શાવે છે.
અમદાવાદ મંડળ પર "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સ્વચ્છતા પખવાડિયા 3.0 તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી "ફિટ ઈન્ડિયા સ્વચ્છતા સ્વતંત્રતા દોડ" નું આયોજન આજે તારીખ 14 ઓક્ટોબર 2023 ના સવારે 7.00 વાગ્યે રેલવે અધિકારી, રેલવે કર્મચારી અને તેમના પરિવારજનોના માટે રેલવે ઈન્સ્ટીટ્યુટ સાબરમતી થી ક્રિકેટ મેદાન (ADSA) સાબરમતી સુધી કરવામાં આવ્યું. ક્રિકેટ મેદાન સાબરમતીમાં વિવિધ પ્રકારની ગેમ્સ આયોજિત કરવામાં આવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 15 ઓક્ટોબરે નવરાત્રી મહોત્સવ – 2023 નું ઉદ્દઘાટન કરશે
15 થી 23 ઓક્ટોબર દરમિયાન આયોજિત નવરાત્રી મહોત્સવમાં રાજ્યની સંસ્કૃતિ અને ધરોહરને ઉજાગર કરવામાં આવશે.
લોધિકા તાલુકાના રાવકી ગામે રૂ.૧૮ .૯૨ કરોડના ૧૯ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયાં
સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવેને ગામડાઓ સાથે જોડતા વિવિધ ગ્ર રસ્તાઓ, હરીપળ (પાળ)ની ગ્રામ પંચાયત કચેરીનું ખાતમૂહૂર્ત, રસ્તાના રીકાર્પેટનો શુભારંભ તથા ચાંદલી પંચાયત ઘરનું લોકાર્પણ કરાયા.
ગોથનગામ સ્ટેશન ઉપર નોન ઈન્ટરલોકિંગ કામને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના સૂરત – વડોદરા રેલવે સેક્શન ઉપર ગોથનગામ સ્ટેશન ઉપર ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરને કનેક્શન આપવા માટે નોન ઈન્ટરલોકિંગ કામને લીધે તારીખ 14 અને 15 ઓક્ટોબરના રોજ નીચે જણાવ્યા મુજબની ટ્રેનો પ્રભાવિત રહેશે.
Vibrant Gujarat : બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ ગુજરાતને સાર્થક કરે છે : ભાનુબેન બાબરીયા
ભાવનગરમાં તા. ૧૩ અને ૧૪ ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાઇ રહી છે જેનો પ્રારંભ ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ઉદ્યોગકારો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
એમજીવીસીએલ હવે આપશે સ્માર્ટ મિટર, ગ્રાહકો મોબાઇલથી વીજ વપરાશની માહિતી મેળવી શકશે
વીજ કંપની દ્વારા અકોટા અને અલ્કાપૂરી વિસ્તારના ૨૫ હજાર ગ્રાહકોને પ્રથમ તબક્કામાં મફતમાં સ્માર્ટ મિટર નાખી અપાશે.
દેડિયાપાડા બીઆરસી ભવન ખાતે આયોજિત કિશોરી મેળામાં સ્વચ્છતાની જ્યોત જાગી
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત અધિકારી-કર્મયોગીઓ સહિત દીકરીઓએ સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી.
ઘન કચરાના વ્યવસ્થાપન થકી ‘કચરામાંથી કંચન’ બનાવતું વડોદરાનું દુમાડ ગામ
રાજ્યમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ગામડાઓમાં સરસ કામગીરી થઈ રહી છે. નાની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોમાં આ કામગીરી સુપેરે પાર પાડવામાં સફળતા મળે છે અને આનું ઉત્તમ ઉદાહણ પૂરું પાડે છે વડોદરાની દુમાડ ગ્રામ પંચાયત.
ખેડામાં રોકાણકારો વરસી પડ્યાઃ વિવિધ ક્ષેત્રમાં ૪૬ એકમો દ્વારા રૂ. ૧૫૦૪ કરોડના એમઓયુ
ગુજરાતમાં ખેડા-આણંદ જિલ્લાની છાપ વિકસિત જિલ્લા તરીકેની છે: ૧૫૦૪ કરોડના ઉદ્યોગકારોના એમઓયુથી આ જિલ્લાની પ્રગતિ વધુ થશે : ઋષિકેશ ભાઈ પટેલ
અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસનું ભટની સ્ટેશન પર તથા સોમનાથ-જબલપુર એક્સપ્રેસનું સાલીચૌકા રોડ સ્ટેશન પર રોકાણ
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ભટની સ્ટેશન ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોન-ઇન્ટરલોકિંગ કામ સ્થગિત થવાને કારણે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ પર દોડશે
પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઇનના કમિશનિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવાયેલ બ્લોકને આગળની સૂચના સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. તદનુસાર, બદલાયેલ રૂટ પર ચાલતી નીચેની ટ્રેનો તેમના નિર્ધારિત રૂટ અને સમયપત્રક મુજબ દોડશે.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે
ગુજરાત સરકાર દ્વારા ૧૬ ડીસેમ્બર ૨૦૨૩ સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન કાર્યક્રમને જાહેર કરવામાં આવેલ છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ જોવા મળશે જન આંદોલનનો સહયોગ.